SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૧૯ ૧૭૫ કથન (વ્યવહાર) પણ સર્વ પદાર્થોમાં પ્રવર્તે છે. એટલે “મા સત્ રૂપિ સન્'' આવું જ્ઞાન અને આવા વ્યવહારનું હોવું સર્વત્ર છે. તે બન્નેની અનુવૃત્તિરૂપ લિંગ દ્વારા અનુમાન કરાઇ છે સત્તા જેની એવા સક્લ પદાર્થો હોવાથી તે રૂપે સક્લ પદાર્થોને એકપણે ગ્રહણ કરનારો આ નય છે. તેથી તેને સંગ્રહનય અને તે પણ પરસંગ્રહનય કહેવાય છે. વધારેમાં વધારે વિશાળતાવાળો આ જ નય છે. તેથી તેને “પર” કહેવાય છે. ૭-૧૫-૧૬ll ઘટ-પટ આદિ સર્વે પદાર્થો પોતપોતાના પ્રતિનિયત સ્વરૂપે વિશેષ અને “સ સ્વરૂપે સામાન્ય એમ ઉભયાત્મક હોતે છતે સર્વ પદાર્થોના પ્રતિનિયત સ્વરૂપાત્મક વિશેષમાં ઉદાસીનતા રાખનારો અને “આ સત્ છે” “આ સત્ છે” એવા જ માત્ર વિચારવિશેષો વડે સામાન્યરૂપે વસ્તુ સ્વરૂપને સ્વીકારનારો જ્ઞાતાનો જે અભિપ્રાય વિશેષ-આશયવિશેષ તે “પસંદ' નામનો નય કહેવાય છે પરંતુ જ્યારે આ અભિપ્રાય વિશેષ ન તથા તેવો ન હોય, પરંતુ એકાત્તવાદ તરફ હોય. એટલે કે વિશેષોનો અપલાપ કરીને સામાન્ય માત્રને જ સ્વીકારનારો હોય ત્યારે તેને પરસંગ્રહનયાભાસ કહેવાય છે. જેમકે વેદાન્ત આદિ દર્શનોને માન્ય “આ સમસ્ત વિશ્વ એક બ્રહ્મરૂપ જ છે” વિશેષો છે જ નહી, આવી આવી માન્યતા તે પરસંગ્રહાભાસ. “સંત” માનનારાં સર્વે દર્શનો તથા સાંખ્યદર્શન. આ સર્વે પરસંગ્રહનયાભાસ સ્વરૂપ છે. કારણકે અદ્વૈત માત્ર માનવાથી તે તે પદાર્થોમાં છતા પણે રહેલા એવા વિશેષોનો તે તે દર્શનકારોએ અપલાપ કર્યો છે. માટે નયાભાસરૂપ છે. પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણ વડે તે સર્વે અદ્વૈતવાદો મિથ્યાવાદ રૂપ હોવાથી સ્વીકારવા યોગ્ય નથી. કારણકે જગતના સર્વે પદાર્થો સામાન્ય અને વિશેષાત્મક છે. એમ પ્રત્યક્ષથી પણ જણાય છે અને અનુમાનથી પણ સિદ્ધ થાય છે. તેથી અદ્વૈતવાદનો વિરોધ કરાય છે. અદ્વૈતવાદ ત્યાજ્ય છે. સ્વીકાર કરવા યોગ્ય નથી. / ૭-૧૭, ૧૮| अथापरसंग्रहमाहुःહવે અપરસંગ્રહનય સમજાવે છેद्रव्यत्वादीन्यवान्तरसामान्यानि मन्वानस्तद्भेदेषु गजनिमीलिकामवलम्बमानः पुनरपरसंग्रहः ॥७-१९॥ उदाहरन्तिદૃષ્ટાન્ત આપે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy