SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૨ થી ૫ “નય"નું સામાન્યપણે લક્ષણ કહીને હવે નયાભાસનું લક્ષણ કહે છેस्वाभिप्रेतादशादितरांशापलापी पुनर्नयाभासः ॥७-२॥ पुनःशब्दो नयात् व्यतिरेकं द्योतयति । नयाभासो नयप्रतिबिम्बात्मा दुर्नय इत्यर्थः । यथा तीर्थकानां नित्यानित्यायेकान्तप्रदर्शकं सकलं वाक्यमिति ॥७-२॥ સૂત્રાર્થ-પોતાના માનેલા અંશથી ઇતર અંશનો અપલાપ કરનારો જે નય તે દુર્નચ કહેવાય છે. II -રા વિવેચન–પહેલા સૂત્રમાં નયની વ્યાખ્યા જણાવી. બીજા સૂત્રમાં નયાભાસની વાત જણાવે છે. નયથી નયાભાસ એ વિપરીત સ્વરૂપવાળો હોવાથી ભિન્ન છે. તેથી મૂલ સૂત્રમાં લખેલો પુનઃ એવો શબ્દ આ નયાભાસને નયથી ભિન્નપણે જણાવે છે. નયામાસ એટલે શું? નયનું પ્રતિબિંબ માત્ર છે જેમાં તે, અર્થાત્ જે નયસ્વરૂપ નથી. પરંતુ જાણે નય હોય નહીં શું ? એવું જે દેખાય તે નયાભાસ અર્થાત્ દુર્નય કહેવાય છે. જેમ તોફાને ચડેલી અને બન્ને કાંઠે ભરપૂર પાણીથી વહેતી નદીને “જાણે સમુદ્ર હોય નહીં શું” એમ કહેવાય છે. એટલે સમુદ્ર જેવી છે. પરંતુ વાસ્તવિક સમુદ્ર નથી તેવી રીતે નયાભાસ પણ નય જેવા દેખાય છે. પરંતુ વાસ્તવિકપણે તે નય નથી પરંતુ નયાભાસ અર્થાત્ દુર્નય છે. જેમકે “આકાશાદિ પદાર્થો નિત્ય જ છે.” તથા ઘટ-પટાદિ પદાર્થો અનિત્ય જ છે. આ પ્રમાણે નિત્ય અને અનિત્યાદિને એકાન્તરૂપે જણાવનારાં અન્ય તીર્થિકોએ માનેલાં સકળ વાક્યો તે દુર્નય છે એમ જાણવું. કારણકે તેવા તેવા એકાન્તવાદી પોતાના માનેલા ધર્મથી ઇતરધર્મનો સર્વથા અપલાપ કરીને પોતાને માન્ય ધર્મનો એકાન્તપણે સ્વીકાર કરનારા છે. અને પદાર્થોનું તેવું સ્વરૂપ નથી. તેથી તે દુર્નય કહેવાય છે. . ૭-રો नयप्रकारसूचनायाहुःનયોના ભેદો જણાવવા માટે કહે છે કેस व्याससमासाभ्यां द्विप्रकारः ॥७-३॥ व्यासतोऽनेकविकल्पः ॥७-४॥ समासस्तु द्विभेदो द्रव्यार्थिकः पर्यायार्थिकश्च ॥७-५॥ સૂત્રાર્થ- તે નય વ્યાસ (વિસ્તાર)થી અને સમાસ (સંક્ષેપ)થી એમ બે પ્રકારે ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy