SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૧ औदासीन्यपरायणास्तदपरे चांशे भवेयुर्नयाश्चेदेकान्तकलङ्कपङ्ककलुषास्ते स्युस्तदा दुर्नयाः ॥१॥ વિવેચન- એકથી છ પરિચ્છેદ સુધીમાં પ્રમાણનું સ્વરૂપ, પ્રમાણના ભેદ-પ્રતિભેદો, પ્રમાણનો વિષય અને પ્રમાણનું ફળ, તથા તેના પ્રસંગમાં તે સર્વેની જે વિપરીતતા, તેવી તેવી આભાસતા ઇત્યાદિ રીતે પ્રમાણનું વર્ણન છ પરિચ્છેદમાં સમજાવ્યું. વસ્તુમાં રહેલા અનંત ધર્મોમાંથી કોઈને પણ ગૌણ કર્યા વિના જેમ છે તેમ સર્વ ધર્મોને જાણવા તે પ્રમાણ કહેવાય છે. હવે આ પરિચ્છેદમાં નયોનું વર્ણન સમજાવે છે. કારણ કે આ ગ્રંથનું “પ્રમાનિયતાનોનિકુર'' નામ છે. પ્રમાણ અને નયનું જે તત્ત્વ (સ્વરૂપ) છે. તેનો આલોક (પ્રકાશ) કરવામાં અલંકારરૂપ જે ગ્રંથ છે તે “પ્રમાણનય-તત્ત્વાલોકાલંકાર” કહેવાય છે. તેથી પ્રમાણનું સવિસ્તરપણે સ્વરૂપ જેમ સમજાવ્યું. તેમ હવે નયોનું સ્વરૂપ આ પરિચ્છેદમાં સમજાવે છે. કેવળજ્ઞાનથી જાણેલી અથવા કેવલીના વચનોના અનુસાર શ્રુતજ્ઞાનાદિથી જાણેલી વસ્તુ, બીજાને સમજાવવા માટે શબ્દ પ્રયોગરૂપે જ્યારે બોલાય છે, ત્યારે યથાર્થ સમજેલા અને યથાર્થ સમજાવનારા એવા તે પુરુષોને આપ્ત કહેવાય છે. કારણકે તે પુરુષોએ અસત્યના કારણભૂત એવા રાગ-દ્વેષાદિ દોષોનો ક્ષય કર્યો છે. અથવા અતિશય કાબુમાં રાખ્યા છે. તેથી તે પુરુષો આપ્ત કહેવાય છે. રાગ અને દ્વેષનો ઐકાન્તિક અને આત્મત્તિક જે ક્ષય તે આમિ કહેવાય છે. અને આવા પ્રકારની આમિ છે જેને તે આપ્ત કહેવાય છે. આવા પ્રકારના આત પુરુષોથી બોલાયેલાં કે બોલાતાં જે વાક્યો તે કૃતાન્ય (આગમ) નામનું પ્રમાણ કહેવાય છે. તેવા કૃતાન્ય પ્રમાણ (આપ્તવચનરૂપ આગમપ્રમાણ)થી જે વિષયો સમજી શકાય છે. જાણી શકાય છે. તે વિષયો શ્રુતાખ્યપ્રમાણના વિષયીકૃત પદાર્થ કહેવાય છે. તે પદાર્થોમાં પરમાર્થથી અનંતા ધર્મો હોય છે. પરસ્પર વિરુદ્ધ દેખાતા પણ પરમાર્થથી અવિરુદ્ધપણે રહેલા આ ધર્મો હોય છે. જેમકે કટક, કેયૂર અને કંકણ પર્યાયથી ભિન્ન છે પરંતુ સુવર્ણપણે અભિન્ન છે. અર્થાત્ ભિન્ન અંશ પણ છે. અને અભિન્ન અંશ પણ છે. તેમાંથી જ્યાં જે જરૂરી અંશ હોય ત્યાં તે અંશને પ્રધાન કરીને અને ઇતર અંશને (તેનો અપલાપ કર્યા વિના) ગૌણ કરીને વસ્તુ સ્વરૂપને જાણનારા અને જણાવનારા એવા વક્તા-જ્ઞાતાનો હૃદયગત જે આશય વિશેષ તેને નય કહેવાય છે. અહીં મૂલસૂત્રમાં વિષથી અર્થ સંશઃ પદમાં જે એકવચન કર્યું છે. તે મતત્ર સામાન્યપણે કહ્યું છે. તેના અંશ સંશા વા, તેથી બે અંશો કે ઘણા અંશો ગૌણ-મુખ્યપણે જે જણાય તેને પણ નય કહેવાય છે. શ્રુત નામના પ્રમાણથી (આત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy