SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૭ ૧૨૯ રહિત આ અનુમાનો છે. તો યોક્ત=ઉપર કહેલા ત્રણ પ્રકારના હેત્વાભાસોમાંથી જ કોઇપણ એક હેત્વાભાસ વડે જ અનુમાનનું દુષ્ટપણું સમજી લેવું. તે આ પ્રમાણે— અન્યથાનુપપત્તિનો (વ્યાપ્તિનો) અભાવ કાં'તો અનધ્યવસાયથી થાય ? કાં'તો વિપર્યયથી થાય ? કાં'તો સંશયથી થાય ? આ ત્રણ વિના પ્રકારાન્તરનો અસંભવ છે. ત્યાં જો અનધ્યવસાયથી વ્યાપ્તિ ન થતી હોય તો અસિદ્ધ, વિપર્યય હોવાથી વ્યાપ્તિ ન થતી હોય તો વિરુદ્ધ, અને સંશય હોવાથી જો વ્યાપ્તિ ન થતી હોય તો સંદિગ્ધાનૈકાન્તિક. એમ અનુક્રમે ઉપરોક્ત ત્રણ હેત્વાભાસમાંનો જ સંભવ છે. તેથી ઉપરોક્ત ત્રણથી અધિક “અકિંચિત્કર” નામનો કોઇ હેત્વાભાસ માનવો જરૂરી નથી. અન્ય હેત્વાભાસો પણ જે માને છે. તેનું ખંડન હવે આગળ સમજાવે છે– एवमेव न कालात्ययापदिष्टोऽपि । तथाहि अस्य स्वरूपं कालात्ययापदिष्टः कालातीत इति, हेतोः प्रयोगकालः प्रत्यक्षागमानुपहतपक्षपरिग्रहसमयस्तमतीत्य प्रयुज्य - मानः प्रत्यक्षागमबाधिते विषये वर्तमानः कालात्ययापदिष्टो भवतीति । अयं चाकिंञ्चित्करदूषणेनैव दूषितोऽवसेयः ॥ આ જ પ્રમાણે “કાલાત્યયાપદિષ્ટ” હેત્વાભાસ પણ આવશ્યક નથી એમ જાણવું. કારણ કે તેનું સ્વરૂપ કાલાત્યયાપદિષ્ટ એટલે કે કાલાતીત અર્થાત્ કાલને ઓળંગીને જે પ્રયોગ કરાય તે કાલાત્યયાપદિષ્ટ કહેવાય છે. જ્યારે જ્યારે સાધ્ય સાધવા માટે હેતુનો પ્રયોગ કરતા હોઇએ. ત્યારે ત્યારે તે પ્રયોગવાળો કાળ કેવો હોવો જોઇએ ? તો કહે કે પ્રત્યક્ષ પ્રમાણ અને આગમ પ્રમાણવડે અખંડિત એવા પક્ષને સમજાવનારો કાળ તે પ્રયોગકાળ હોવો જોઇએ. તેને બદલે તેવા કાળને ઓળંગીને પ્રયોગ કરાતો એટલે કે પ્રત્યક્ષ અને આગમવડે બાધિત (ખંડિત) એવા વિષયવાળા પક્ષમાં વર્તતો જે હેતુ તે હેતુ કાલાત્યયાપદિષ્ટ થાય છે. જેમકે વહ્નિઃ અનુાઃ દ્રવ્યત્ત્તાત્-વૃદ્ધિ શીતળ નથી, પરંતુ ઉષ્ણ જ છે. આ વાત સ્પાર્શનપ્રત્યક્ષથી જગત્પ્રસિદ્ધ છે. છતાં તેવા પ્રકારના પ્રત્યક્ષથી સિદ્ધસ્વરૂપને ઓળંગીને વહ્નિમાં અનુષ્યતા સાધવા માટે પ્રયોગ કરાતો આ હેતુ બાધિત બને છે. એવી જ રીતે ‘“સાધૂનાં રત્નનીમોનનું ર્તવ્ય મોનના ''. આ આગમબાધિત પક્ષમાં પ્રયોગ કરાતો હેતુ છે માટે બાધિત છે. આવા પ્રકારના બધા જ બાધિત (કાલાત્યયાપદિષ્ટ) હેતુઓ હમણાં જ સમજાવેલા ‘િિશ્ચત' નામના હેતુના દૂષણવડે દૂષિત જ છે. એમ જાણવું. આવા હેતુઓ સાધ્યની સિદ્ધિમાં કંઇ કામ કરતા નથી. प्रकरणसमोऽप्यप्रकटनीय एव । अस्य हि लक्षणं यस्मात् प्रकरणचिन्ता स .. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy