SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૧૭ ૧ ૧ ૭ આ ઉપાધિ સાધનની સાથે અવ્યાપક થઇ. તથા મિત્ર/પુત્વાવછિન (એટલે કે મિત્રાના પુત્રપણા સંબંધી) એવું મિત્ર સાધ્ય જ્યાં જ્યાં છે (સાતપુત્રોમાં) ત્યાં ત્યાં શાદ્રિમહારપરિધામ વ્યાપકપણે છે જ. કારણ કે તેવા પ્રકારના કાળા રંગવાળાં ઘણાં શાકાદિનો આહાર કરવાથી જ સાત પુત્ર શ્યામ બન્યા છે. તેથી આ ઉપાધિ જેમ સાધનની અવ્યાપક છે તેમ સાધ્યની વ્યાપક પણ આ ઉપાધિ છે. આ રીતે આ શાકાદિ આહાર પરિણામ રૂપ ઉપાધિ સાધનાવ્યાપક અને સાધ્યવ્યાપક થવાથી મિત્રાતત્વાર્ એવો જે હેતુ છે. તે સોપાધિક થવાના કારણે વ્યાપ્યત્વાસિદ્ધ છે. એમ તૈયાયિકોનું કહેવું છે. જે સાધ્યની સાથે વ્યાપક હોતે છતે “સાધનની સાથે અવ્યાપક” હોય તે જ ઉપાધિ કહેવાય છે. આમ હોવાથી “સાધનની સાથે જે વ્યાપક” હોય છે તે ઉપાધિ બની શકતી નથી. ટીકામાં સ્પષ્ટ લખે છે કે સઘનવ્યાપ: ઘનૂપથર્ન મવતિ, અન્યથા જો આ વાત ન સ્વીકારીએ અને સાધનની સાથે વ્યાપક હોય તેને પણ ઉપાધિ કહેવાય એમ માની લઇએ તો સાચા અનુમાનોમાં મૂકાયેલો સહેતુ પણ ઉપાધિવાળો થાય અને વ્યાપ્યત્યાસિદ્ધહેત્વાભાસ બની જાય. જેમકે પર્વતો વહ્નિાન ધૂમાત્ આ અનુમાન તથા તેમાં કહેલ હેતુ સાચો હોવા છતાં જો સઘનવ્યાપને ઉપાધિ માનો તો આ હેતુ પણ સોપાધિક થાય. વહ્નિની સાથે (અવિનાભાવના) સંબંધવાળો એવો પણ આ ધૂમહેતુ સોપાધિક થાય છે. તથા મૂતર્થ તેવા પ્રકારના એટલે કે સાધન (એવા ધૂમ)ની સાથે વ્યાપક (પણે રહેનારા) એવા આર્દ્રધનનો સંબંધ પણ ત્યાં ઉપાધિ તરીકે સંભવી શકે છે આવી ઉપાધિ મળવાથી સહેતુ પણ હેત્વાભાસ થઇ જાય. તે ન થાય તેટલા માટે સાધનવ્યાપક ન લેતાં સાધનાવ્યાપક જે હોય તે ઉપાધિ કહેવાય એમ સમજવું જોઇએ. આર્કે ધનસંયોગ તે ધૂમની સાથે વ્યાપક જ છે. પરંતુ અવ્યાપક નથી. તેથી સાધના વ્યાપ લક્ષણ કરવાથી આર્દ્રધનસંયોગ એ ઉપાધિ બનતી નથી. અને સહેતુ એ હેત્વાભાસ થતો નથી. ननु शाकाद्याहारपरिणामोऽपि मैत्रपुत्रत्वाख्यसाधनस्य व्यापक एव । तमन्तरेणाऽस्य हेतोः क्वचिददर्शनात् । परिदृश्यमानकतिपयतत्पुत्रेषु तद्भाव एव तद्भावात् इति चेत्, नैवम् , क्वचित्तद्भावभावित्वावलोकनेऽपि सर्वत्र मैत्रपुत्रता शाकाद्याहारपरिणामसमन्वितैवेति निर्णेतुमशक्तेः । तत्सम्बन्धस्यापि सोपाधिकत्वात् , श्यामत्वरूपस्योपाधेर्विद्यमानत्वात् । मैत्रपुत्रोऽपि हि स एव शाकाद्याहारपरिणतिमान् यः श्याम इति, साधनाव्याकोऽपि यः साध्यस्याप्यव्यापको नासावुपाधिः । यथा धूमानुमाने खादिरत्वम् । तद्धि यथा-धूमस्य, एवं वह्वेरप्यव्यापकमेवेति नोपाधिः । પ્રશ્ન- તમે જે શાકાદ્યાહાર પરિણામ નામની આ ઉપાધિ મિત્રાપુત્રત્વ નામના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy