SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ (દિગંબરકુમુદચંદ્ર) (શ્વેતાંબર રત્નપ્રભસૂરિ) (૧) સ્વં ? તું કોણ છે ? મર્દ રેવ: હું દેવ છું (૨) રેવ: વ ? દેવ કોણ ? अहम् हुं (૩) મદં વ ? હું કોણ ? વં શ્રી તું કુતરો છે. (૪) શ્રા : ? કુતરો કોણ ? વં તું (૫) વં : ? તું કોણ ? મર્દ રેવ. હું દેવ છું ઈત્યાદિ તથા આ પ્રબંધચિંતામણિમાં જ રત્નપ્રભાચાર્યને વાદિદેવસૂરિજીના પ્રથમશિષ્ય-મુખ્યશિષ્ય તરીકે કહ્યા છે. પ્રભાવકચરિત્ર અને પ્રબંધચિંતામણિના પાઠો તપાસતાં પૂર્વાપર સંબંધ સમજાતો નથી. છતાં અનુમાન આવા પ્રકારનું કરી શકાય છે કે શ્રીવાદિદેવસૂરિજીના કાલે શ્રીરત્નપ્રભસૂરિજી દીક્ષાવસ્થાની અપેક્ષાએ ભદ્રેશ્વરસૂરિજી અને માણેક્યસૂરિજી આદિની અપેક્ષાએ લઘુવયસ્ક અને નૂતનાભ્યસ્તવિદ્યાવાનું હશે એટલે પ્રભાવક ચરિત્રમાં તેમનો ઉલ્લેખ નહીં હોય. પરંતુ નુતનાભ્યસ્ત વિદ્યાવાળા હોવાથી અને તર્ક તથા ન્યાયશાસ્ત્રમાં નિપુણમતિવાળા હોવાથી અને રત્નાકરાવતારિકાની ભાષા જોતાં વચનોચ્ચારમાં પટુતાવાળા હોવાથી ગુરૂપ્રત્યેના પ્રશસ્તરાગથી કુમુદચંદ્રની સાથે આવી બાલગોષ્ટિ કરવા પ્રેરાયા હોય, અને ન્યાયશાસ્ત્રમાં વધુ પ્રવીણ તથા વચનોચ્ચારમાં પટુતાવાળા હોવાથી તે વિષયને આશ્રયી પ્રથમ શિષ્ય કહ્યા હોય. છતાં એટલું ચોક્કસ સમજી શકાય છે કે ૧૧૮૧ના વાદકાલમાં તેઓ વિદ્વાન્ અને અભ્યસ્તવિદ્યાવાન્ હતા. તેથી જ વાદકાલ સમાપ્ત થયા પછી શ્રી વાદિદેવસૂરિજીએ રચેલા “સ્યાદ્વાદ રત્નાકરમાં” શ્રી ભદ્રેશ્વરસૂરિજીની સાથે શ્રી રત્નપ્રભસૂરિજીએ પણ સહાયતા કર્યાનો ગ્રંથકર્તાએ કરેલો ઉલ્લેખ મળતો આવે છે. માટે ૧૧૮૧ થી ૧૨૩૬ સુધીનો શ્રી રત્નપ્રભસૂરિજીનો વિદ્યા ભણ્યા પછીનો દીક્ષિતકાળ અનુમાન કરાય છે. પ્રબંધચિંતામણિમાં કુમુદચંદ્રની સાથે કરેલ સંવાદના આધારે ૧૧૮૧થી શરૂઆત ગણીએ અને ઉપદેશમાલાની પોતે બનાવેલી ટીકા ૧૨૩૬માં સમાપ્ત થયાનો ઉલ્લેખ હોવાથી ત્યાં સુધીનો રત્નપ્રભસૂરિજીનો સત્તાકાળ અનુમાન કરાય છે. તેમનો જન્મ-બાલ્યવય અને દીક્ષા આદિ ૧૧૮૧થી પૂર્વે યથાયોગ્ય હોવાં સંભવિત લાગે છે અને સ્વર્ગવાસ (કાલધર્માવસ્થા) ૧૨૩૬ પછી સંભવિત કરાય છે. તેમની બોલવાની ચતુરાઈ, વાદીઓની સામે બંગભાષણ, ખમીરવંતી પ્રકૃતિ, અને પક્ષ-પ્રતિપક્ષ દ્વારા વાદીની વાતનો પરાભવ કરવામાં અલૌકિક તેજ, વિગેરે ગુણો તેમનામાં હતા. રત્નપ્રભસૂરિજીની વિશિષ્ટ શક્તિઓ - (૧) રત્નપ્રભસૂરિજીમાં ન્યાય અને પ્રમાણ વિષે ઉંડી જ્ઞાનશક્તિ હતી. તે તેમની બનાવેલી રત્નાકરાવતારિકામાંથી જણાય છે. કોઈ પણ વાદીના કોઈ પણ વાદવિષયક પદાર્થને સમજાવવા ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy