SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાયયન સૂર ઉપર કહેવાયેલી રીતે બ્રહ્મચર્યનું ખંડન થાય છે અને સંયમ ધર્મથી પતિત થવાય છે.” નોંધ : અતિ ભજન કરવાથી અંગમાં આળસ પેસે છે. દુષ્ટ વિચારે જાગે છે અને એમ ક્રમથી બ્રહ્મચર્ય માર્ગમાં પણ ઘણીવાર બાધા ઊપજે છે. (૯) શરીર વિભૂષાને અનુસરનારો (શૃંગાર નિમિત્ત અતિ ટાપટીપ કર્યા કરે તે) સાધુ કહેવાતો નથી. શિષ્ય પૂછ્યું: “તેમ શા માટે ?” આચાયે કહ્યું: ખરેખર સૌદર્યમાં ભૂલેલે અને શરીરને શણગારનાર બ્રહ્મચારી સ્ત્રીઓને આકર્ષક નીવડે છે અને તેથી તેને બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા અને વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્ય ખંડિત થાય માટે બ્રહ્મચારીએ વિભૂષાનુરાગી ન નેધ : સૌંદર્યની આસકિત કે શરીરની ટાપટીપ કરવાથી વિષયની વાસના જાગવાને સંભવ રહે છે. સાદાઈ અને સંયમ એ જ બ્રહ્મચર્યનાં પિોષક છે. (૧૦) શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ઈત્યાદિ ઈદ્રિયોના વિષયોમાં જે આસક્ત થતો નથી તે નિગ્રંથ કહેવાય છે. શિષ્ય પૂછ્યું: “તેમ શા માટે ?” આચાયે કહ્યું: “શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને અનુસરનારા બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં ઉપર કહેલી ક્ષતિ થાય અને કમથી સંયમ ધર્મથી પતિત થવાય માટે શબ્દાદિ પાંચ ઈદ્રિયોના વિષયોમાં આસક્ત થાય નહિ તે નિગ્રંથ કહેવાય છે. એ પ્રમાણે દશે બ્રહ્મચર્ય સમાધિ સ્થાને પૂર્ણ થયાં. હવે તે (સંબંધીના) કે કહેવાય છે. તે આ પ્રમાણે છે : ભગવાન બોલ્યા : ૧. (આદશ) બ્રહ્મચારીએ બ્રહ્મચર્યની રક્ષા માટે સ્ત્રી, પશુ અને નપુંસક રહિત એવા એકાંત (આત્મચિંતનને યોગ્ય) સ્થાનને સેવવું જોઈએ. ૨. બ્રહ્મચર્યમાં રક્ત થયેલા ભિક્ષુએ મનને ક્ષોભ પમાડે તેવી અને વિષયની - આસક્તિને વધારનારી સ્ત્રીઓની કથાને છોડી દેવી. ૩. પુનઃ પુનઃ સ્ત્રીઓની શૃંગાર વર્ધક કથા કરવાથી (કિંવા વારંવાર સ્ત્રીઓ સાથે કથા વાર્તાના પ્રસંગમાં આવવાથી) કે સ્ત્રીઓ સાથે બહુ પરિચય કરવાથી બ્રહ્મચર્ય ખંડિત થાય છે. માટે બ્રહ્મચર્યના પ્રેમી ભિક્ષએ તે બાબતોને હમેશાં ત્યાગ કરવો. ૪. બ્રહ્મચર્યમાં રક્ત થયેલે સાધુ સ્ત્રીઓનો અંગ પ્રત્યંગ કે આકૃતિને ઈરાદા પૂર્વક વારંવાર જોયા ન કરે. તેમ જ સ્ત્રીઓનાં કટાક્ષ ઉપર કે મધુર વચને પર આસક્ત ને થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy