SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાયયન સૂર થઈશ તે તું અહી (ગૃહસ્થાશ્રમ)થી પણ ઍવીને ઈચ્છા પ્રમાણે રૂપ ધરનારે ઉત્તમ દેવ થઈશ. (ચિત્તમુનિ બોલ્યા.) નેધ : ગૃહસ્થાશ્રમમાં પણ યથાશક્તિ ત્યાગ કરે તો તે દેવાનિ પામી શકે છે. , (૩૩) (ભોગાસક્ત નૃપતિ કશું ન સ્વીકારી શકવાથી ચિત્તમુનિ નિર્વેદિતા અનુભવીને કહે છે :) પરંતુ હે રાજન્ ! આ સંસારના આરંભ અને પરિગ્રહોમાં તું ખૂબ આસક્ત થયો છે. ભોગોને છોડવાની તારી જરા પણ ઈચ્છા જ નથી. તો આટલે વાર્તાલાપ મેં ફોકટ જ કર્યો એમ માનું છું. હે નૃપ ! હવે હું જવાની ઈચ્છા રાખું છું. (એમ કહીને ચિત્તમુનિ ચાલતા થયા.) (૩૪) પંચાલપતિ બ્રહ્મદરેસે તે પવિત્ર સાધુનું વચન ન માન્યું અને જેવા ઉત્તમ કામભેગો ભોગવ્યા તેવા જ ઉત્તમ નરકમાં તે ચાલ્યો ગયો. નેધ : જેવાં કર્મ કરાય તેવું ફળ પમાય. (૩૫) અને ચિત્તમહર્ષિ કામગોથી વિરક્ત રહી, ઉગ્ર ચારિત્ર અને ઉગ્ર તપશ્ચર્યા તથા શ્રેષ્ઠ સંયમને પાળીને શ્રેષ્ઠ એવી સિદ્ધગતિને પામ્યા. નોંધ : ભેગોને ભોગવ્યા પછી ત્યાગવા એ દુર્લભ અને આસક્તિ હઠાવવી એ અતિ દુર્લભ છે. ભોગની જાળ છૂટવી બહુ બહુ કઠણું છે. માટે મુક્ષુએ ભગોથી દૂર જ રહેવું. એમ કહું છું. એ પ્રમાણે ચિત્તસંભૂતિનું તેરમું અધ્યયન સમાપ્ત થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy