SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. નરસિહભાઈ ઈશ્વરભાઈ પટેલ ૧૫૧ આ મત એમને જ નથી; એમના જેવા બીજા અનેક હશે, એમાં શંકા નથી. ખાસ જાણવાનું એ છે કે, તેમાં એમને પોતાની આરાધ્ય દેવતા – સ્ત્રીનું વિડંબન અને પુરુષોને હાથે વાપરી-ખાવાપણું લાગતું: તે એમને અસહ્ય હતું. સ્ત્રીને વસ્ત્રાભૂષણની ઢીંગલી થતી જોઈ તેમના આત્માને ભારે દુ:ખ થતું. એમાં સ્ત્રીની શક્તિ દિશાંતર થઈ હાસ પામતી જ નહિ પણ એળે જતી એમને લાગતી. એમના જીવનનું મૂળ પ્રેરક બળ આપણા રાષ્ટ્રની સ્વતંત્રતાની ભૂખ હતી, એ તો એમના જીવનના પ્રારંભ પરથી સ્પષ્ટ જણાય છે. તે સ્વદેશાભિમાની હતા. ડાવિન અને હકથ્વીના વાચને તેમને પ્રત્યક્ષ પ્રકૃતિવાદી બનાવ્યા હતા. વિજ્ઞાન પર શ્રદ્ધા યુરોપમાં ૧૯મા સૈકાના ઉત્તરાર્ધના લોકમાં જેવી હતી, લગભગ તેવી તેમની હતી. પણ એ શ્રદ્ધા એમને નીતિધર્મ અને અડગ સદાચાર શીખવતી હતી. એમાં એમને ચાર્લ્સ બ્રેડ જેવા નાસ્તિકધર્મીઓ જોડે સરખાવી શકાય. “ઈશ્વરનો ઇન્કાર એનો જ એકરાર છે. પ્રકૃતિથી પર એવી ગૂઢ સત્તા અને જીવનસત્ત્વ છે, એમ અંતકાળે કાંઈક એમને થયું હોય એમ લાગે છે. એ ઝાંખી એમનાં સહધર્મચારિણીએ જ, જતાં જતાં પણ, કરાવી. ૩. જીજીબા ખરેખર તેમનાં જીવનસાથી હતાં. “પાટીદાર’ કાર્યાલયનું બને તેટલું કામ એ દંપતીનું કુટુંબ હાથે જ કરતું. જીજીબા તેમાં ઠીક ઠીક ફાળો આપતાં. જે સ્ત્રી સમાનતા અને સન્માન નરસિહકાકા ઉપદેશતા, તે તેમના દંપતીજીવનમાં જોવા મળતું. રાજકારણમાં તે કોંગ્રેસના સેવક હતા. ૧૯૩૦-૪ના યુગમાં તે જેલમાં ગયા હતા. તે વખતે જે તેમની જોડે રોડામાં ક-વર્ગમાં હતા, તેમને ખબર છે કે, તે કેવા અભ્યાસી હતા, અને ઉંમરના મોટા ભેદ છતાં નવજુવાનેના મિત્ર બનીને કેવા મોજથી સાથે રહેતા હતા. સ્વભાવે તે મોજીલા અને આનંદી હતા. તેમની વિદવૃત્તિ તેમના સુધારાની ધગશ અને કુધારા તથા રૂઢિ સામેના ક્રોધાગ્નિ ઉપર બ્રેક સમી હતી. તેથી જ તે અમુક તટસ્થતાથી જગત જોડે નભાવી શકતા. આમ, દેશની સ્વતંત્રતાને માટે જીવનભર ઝંખનાર નરસિંહકાકા તેને આવેલી જોઈને ન ગયા; પરંતુ લગભગ અર્ધા સૈકા ઉપર તેમણે દેશની જે દશા જોઈ હશે, તે તે ક્યાંય ઊડી ગઈ, અને હવે દેશ થોડા વખતમાં સ્વતંત્ર થઈ પિતાનું કાર્ય કરી શકશે, એવો સંતોષ લઈને તો તે જરૂર ગયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy