SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. સ્વ. કૌશાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો અધ્યાપક કૌશાંબીજીનું નામ ન જાણતો હોય એવો વિદ્વાન અને વિચારક ભાગ્યે જ હશે. જોકે એમણે પોતાનાં કેટલાંક જીવન-સ્મરણો આપવીતીમાં આલેખ્યાં છે, પણ તે સ્મરણો આખા જીવનને લગતાં નથી. તેમણે અમુક સમય સુધીના જ પોતાના ખાસ ખાસ કેટલાક જીવન – પ્રસંગો આપવીતીમાં આલેખ્યા છે. તેમ છતાં જેણે ટૂંકી આપવીતી વાંચી હશે તેના ઉપર કૌશાંબીજીનાં બુદ્ધિ, પુરુષાર્થ અને ચારિત્ર્યની ઊંડી છાપ પડ્યા વિના રહી જ નહિ હોય. હું પોતે તો કોઈપણ જિજ્ઞાસુ ભાઈ કે બહેનને વાંચવાલાયક પુસ્તકો સૂચવવાં હોય ત્યારે તેમાં ‘આપવીતી'ની પસંદગી પ્રથમ કરું છું. ‘શું કરવું ? રસ્તો કોઈ સૂઝતો નથી, સહાયકો નથી.' એવા એવા માયકાંગલા વિચાર સેવનારાઓની આજે કમી નથી. તેવાઓ માટે મારી દૃષ્ટિએ કૌશાંબીજીની આપવીતી' એ પ્રેરણાદાયી બાઇબલ બને તેવી છે. આમ હોવા છતાં જેણે કૌશાંબીજીનો ઠીક ઠીક પ્રત્યક્ષ પરિચય સાધ્યો હશે અને જે દૃષ્ટિસંપન્ન હશે તે જ કૌશાંબીજીને ખરી રીતે ઓળખી શક્યો હશે એમ મને લાગે છે. તેમની સાથે મારો સાક્ષાત્ પિરચય લાંબા વખત લગી રહ્યો હતો અને છેલ્લે હમણાં કાશીમાં પણ અમે બંને સાવ નિકટ હતા. તેથી હું તેમનાં કેટલાંક સ્મરણો આલેખું તો તે અનુભવમૂલક છે એમ સમજી વાંચનાર વાંચે. સૌથી પહેલાં હું કૌશાંબીજીને પૂનામાં ૧૯૧૭માં તેમને મકાને મળ્યો. તે વખતે તેઓ ફર્ગ્યુસન કૉલેજમાં પાલિના અધ્યાપક હતા. મેં તેમનું બુદ્ધધર્મ આણિ સંઘ' એ પુસ્તક વાંચેલું એટલે તેમના પ્રત્યે મારો અનન્ય આદર તો પ્રથમથી જ ઉત્પન્ન થયેલો; પણ હું પ્રત્યક્ષ મળ્યો ત્યારથી તો તેમના પ્રત્યે મારી જુદી જ સૃષ્ટિ બંધાઈ. હું આ અગાઉ કેટલાક વખત થયાં બૌદ્ધ પાલિ વાડ્મય ગુરુમુખથી શીખવા ઇચ્છતો હતો. જૈન કર્મશાસ્ત્ર અને બીજા એવા વિષયો વિષે વિચારતાં તેમજ લખતાં મને એમ થયેલું કે બૌદ્ધ વાડ્મયના પૂરા અને યથાર્થ અભ્યાસ વિના મારું અભીષ્ટ કામ અધૂરું જ રહેવાનું છે. હું યોગ્ય અધ્યાપકની શોધમાં હતો, અને કૌશાંબીજીનો અચાનક ભેટો થયો. એટલે મારી જિજ્ઞાસા સતેજ બની તેમજ કૌશાંબીજી પ્રત્યે વિશેષ આકર્ષાયો. પણ તે વખતે મારી ઇચ્છા સિદ્ધ ન થઈ અને હું આગ્રા ચાલ્યો ગયો. બે-એક વર્ષ પછી ફરી હું પૂનામાં ગયો, પણ ઘણું કરી તે વખતે કૌશાંબીજી ત્યાં ન હતા. તેમના એક પ્રતિભાશાળી શિષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy