SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક અને ધાર્મિક જીવનનો પરિચય - ૪૫ મને હવે વિશેષ અને વિશેષ જ્ઞાન મેળવવાની જ ધૂન લાગી હતી અને બીજું કારણ એ પણ હતું કે પરાધીન જીવનમાં પરાધીનતાના વધારાથી મુક્તિ મળતી હતી. ઘણું કરી વિ. સં. ૧૯૫૬ના પ્રારંભમાં જ કુટુંબકલહ શરૂ થયો. હું પહેલાં લખી ગયો છું કે ગાંગજી માવજી અને તળશી માવજી એ બે ભાઈઓનો વસ્તાર લીમલીમાં હતો. ગાંગજી માવજીના ચારેય પુત્રોનું કુટુંબ સંયુક્ત હતું. તળશી માવજીના એકમાત્ર પુત્ર મારા પિતા પહેલેથી જ વહેંચણી કરી જુદા પડેલા. આમ તો બંને કુટુંબોનો વ્યાપારધંધો અને મિલકત સાવ જુદાં હતાં છતાં બંને બેસતા એક જ દુકાને અને બંનેના કેટલાંક પૈતૃક લેણાદેણાં પણ સંયુક્ત હતાં. કલહ શરૂ તો થયો ગાંગજી માવજીના ચાર પુત્રોમાં, પણ એના છાંટાથી મારા પિતા સાવ મુક્ત રહી શક્યા નહિ. અત્યારે મને એમ લાગે છે કે જો તેઓમાં વધારે નૈતિક હિંમત અને વધારે તટસ્થ રહેવાની દૃષ્ટિ હોત તો તેઓ ક્લેશના ચેપથી મુક્ત રહી શકત. પેલા ચાર ભાઈઓમાં એક બાજુ મોટાભાઈ બાપુ અને બીજી બાજુ નાના ત્રણ ભાઈઓ હતા. બધા જ સ્વભાવે ઉદાર અને શક્તિ બહારનો ખર્ચ કરવામાં પાછું વાળી ન જુએ તેવા હતા. છતાં વહેંચણી વખતે નજીવી ચીજો માટે પણ તાણખેંચ થતી. જાણે તકરાર કરવામાં રસ પડતો હોય તેમ કોઈ ને કોઈ બહાને તેઓ આખડતા. પિતાજીને એમાં કશી જ લેવાદેવા હતી નહિ, પણ મોટાભાઈ પ્રત્યેનો એમનો અનુરાગ અને એકલા પડી જતા મોટાભાઈને પોતાના પક્ષે મારા પિતાને રાખવાની ચાતુરી – એ બે તત્ત્વોને કારણે પેલા ત્રણ ભાઈઓ મારા પિતાજીને સામી બાજુના લેખતા. વિ. સં. ૧૯૫૬ના ભયાનક દુષ્કાળમાં બંધ પડેલ વ્યાપાર-ધંધાનું સ્થાન આ કુટુંબકલહ લીધું હતું, બધાનો સમય નવા નવા વાંધાઓના મુદ્દા ઊભા કરવામાં, તેની ચોવટો અને પંચાતો કરવા-કરાવવામાં તેમજ કોઈ પંચ અનુકૂળ ફેંસલો ન આપે ત્યારે તેને પણ વિરુદ્ધ બાજુનાં લેખી તેની સામે પડવામાં પસાર થતો. બાપુને પક્ષે રહેવાથી અને દાક્ષિણ્યને કારણે ઘણી બાબતોમાં પિતાજી ઉપર નકામું આર્થિક તાણ વધતું અને કુટુંબને ખેંચાવું પણ પડતું. આ વસ્તુ મારા મોટાભાઈને પણ રુચતી નહિ. અને ઘણી વાર તેઓ પિતાજી સામે વિરોધ પ્રગટ કરતા, પણ પિતાજી પોતાની ઢબે જ ચાલતા. હું આ નાટકમાં ભાગ લેવાની હદે હજી પહોંચ્યો ન હતો, પણ એને જોયા તો કરતો જ અને તેના વાવ્ય-અન્યાÀપણા વિષે પણ વિચારો બાંધતો. જાણે આ કુટુંબકલહ ઓછો હોય તેમ ખોલડિયાદમાં વસતા અમરશી માવજી અને મોતી માવજીના પરિવારમાં પણ કલહાગ્નિ પ્રગટ્યો. બધાયની ફરિયાદની છેલ્લી કોર્ટ બાપુજી એટલે બધા જ પક્ષો લીમલી બાપુ પાસે આવે અને બાપુ તો મારા પિતાજીને પાસે રાખે જ. પણ હું જોઈ શકતો કે હવે બાપુ તેમજ મારા પિતાનો કુટુંબ ઉપરનો પ્રથમનો પ્રભાવ કાયમ રહ્યો નથી. કારણ સ્પષ્ટ હતું. જે પોતે પોતાના ઘરની તકરારનો અંત આણી ન શકે તેના ફેંસલાને બીજાઓ નિષ્પક્ષ કેમ માને ? છેવટે લીમલી અને ખોલડિયાદનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy