SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ • મારું જીવનવૃત્ત આવ્યો અને તે જ વખતે લગ્ન-મરણના કે બીજા તેવા વરા વિષે મેં ખાસ નિર્ણયો બાંધ્યા. એમાંથી કુટુંબ પૂરતો મારો નિર્ણય એ બંધાયો કે, ઉંમર પહોંચેલ હોય તેમ જ જીવનમાં જરૂરી એવી યોગ્યતા પ્રાપ્ત કરેલ હોય તેવાં સંતાનોનું બિનખર્ચાળ અને સાદું લગ્ન થતું હોય તો જ તેમાં ભાગ લેવા જવું. આ નિર્ણય પ્રમાણે હું છેલ્લા ચાળીશ વર્ષ થયાં કડક રીતે વર્યો છું અને મારા અંગત કુટુંબ તેમ જ અતિ નિકટનાં સગાંસંબંધીઓમાં સેંકડો લગ્ન થઈ ગયાં છતાં એમાં ક્યારે પણ મેં ભાગ લીધો નથી. અને હવે તો ભાઈઓ કે કુટુંબીઓ સુધ્ધાંએ કંકોતરી લખવી પણ છોડી દીધી છે. કારણ કે તેઓ ઈચ્છે તોય મારા આદર્શને અનુસરવા અમુક પ્રથા બહાર પગલું ભરી શકતા નથી. કારની બાબતમાં પણ મારો કડક નિર્ણય એ બંધાયો છે કે એની કશી જ જરૂર નથી અને ઘણી વાર તો તે નિમિત્તનું જમણ બેહૂદું પણ બની જાય છે. ઈ. સ. ૧૯૧૯ના ઘણું કરી ડિસેમ્બરમાં પિતાજીના મરણપ્રસંગે પૂ પુનાથી લીમલી ગયેલો. મેં મારો કારજસંબંધી મક્કમ નિર્ણય ભાઈઓ તેમ જ કાકાઓને સંભળાવી દીધો. મોટાભાઈને તો એ ભાવતું જ થયું, પણ નાના ભાઈઓ, કાકાઓ તેમ જ બીજી ડોશીઓની સામે ઊભા રહેવાની હિંમત એ બતાવી શક્યા નહિ. એટલે મેં તરત જ ઘેરથી આગ્રા જવાનો માર્ગ લીધો, પણ હમણાં ઘી બહુ મોંઘુ છે, કાંઈક સસ્તું થયે જરૂર કારજ કરીશું એવા મોટાભાઈના વિચારે એ કારજના પ્રસંગને ઠેલ્યો તે હંમેશને માટે ઠેલાયો જ. આજે તો જ્યારે બધા કુટુંબીઓ અને ભાઈઓ મળે છે ત્યારે આનંદથી કહે છે કે તમારું કહેવું માનતા ન હતા તેમને પણ સંજોગોએ માનતા કર્યા છે અને હવે તો કારજ કરવું સૌ ભૂલી પણ ગયા છે. ચોખ્ખાઈનો અભાવ ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છમાં ઘણા સમાજો એવા છે કે જેમાં ચોખ્ખાઈના ખ્યાલો બહુ જ ઓછા છે. આનું કારણ કાંઈક અંશે નિર્જલ મારવાડના પ્રાચીન વસવાટની પરંપરામાં હશે, કાંઈક અંશે મુસલમાનોના વધારે પડતા સહવાસ અને પ્રભાવમાં હશે, કાંઈક અંશે વ્યાપાર અને ખેતીના ધંધાને લગતી રહેણીકરણીની અવ્યવસ્થામાં હશે તો કાંઈક અંશે ભ્રાન્ત અને ઉપરછલી ધાર્મિક માન્યતાઓમાં હશે; કારણ ગમે તે હોય, પણ વસ્તુસ્થિતિ એ જ છે. સારામાં સારાં ખાનપાન હોય છતાં એઠાં-જૂઠાંનો વિવેક નહિ, પાણી ગળીને પીવાની પૂરી સાવધાની છતાં તેનું વાસણ એકબીજાના ઉચ્છિષ્ટ પાત્રથી અવાડા જેવું બને. ચોખ્ખાં અને ભપકાદાર કપડાં પહેરવાની પ્રતિષ્ઠા હોવા છતાં સગવડમાંય નિત્ય સ્નાનવિધિનો અનાગ્રહ, મોટાં મકાન અને વાડાઓની સગવડ હોય ત્યાંય મળમૂત્ર માટેની સમુચિત વ્યવસ્થાનો અભાવ, મૂલ્યવાન પક્વાનો અને ભારે જમણો થતાં હોય છતાંય જગ્યાની અચોખ્ખાઈ-આવી રીતભાતના કુસંસ્કારો મારામાં ન ઊતરે એ સંભવિત જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy