SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ • મારું જીવનવૃત્ત શ્રીમાળીમાં દશા અને વીસાનો ભેદ ક્યારથી પડ્યો હશે અને એ બે વચ્ચે કન્યાની લેવડદેવડ ક્યારથી બંધ પડી હશે એનો ઇતિહાસ અજ્ઞાત છે. દશા-વીસા, પાંચ-અઢિયા વગેરે ભેદોનાં અમુક કારણો અપાય છે, પણ એ વિષે મારો નિશ્ચિત મત એવો રહ્યો છે કે નાતજાતના ઊંચનીચપણાના મિથ્યાભિમાનની આ બધી કલ્પિત અને હાનિકારક સૃષ્ટિ છે. દશાઓ વીસાને અમુક બાબતમાં ઊતરતા લેખે છે તો વીસાઓ દસાને બીજી બાબતમાં ઊતરતા લેખે છે. જ્યાં જેની પ્રધાનતા ત્યાં તેની વાત મનાય છે, પણ સદ્ભાગ્યે આ ભૂત હવે શીઘ્ર અલોપ થતું જાય છે. સંઘવી કુટુંબ અમારું કુટુંબ સંઘવી કુટુંબ તરીકે જાણીતું છે. સંઘવીનો સામાન્ય અર્થ એ છે કે જેણે સંઘ કાઢી સંઘપતિ પદ પ્રાપ્ત કર્યું હોય. અત્યારનો અમારો કુળધર્મ સ્થાનકવાસી હોવાથી એમાં તીર્થ નિમિત્તે સંઘ કાઢવાની પ્રથાને તો સ્થાન છે જ નહિ તેથી એવો સંભવ છે કે સ્થાનકવાસી પંથ સ્વીકાર્યા પહેલાં કયારેક વડવાઓએ પોતાના મૂર્તિપૂજક પંથ પ્રમાણે તીર્થ નિમિત્તે સંઘ કાઢ્યો હશે અને સંઘવી પદ પ્રાપ્ત કર્યું હશે. બીજો એવો પણ સંભવ છે કે સ્થાનકવાસી પંથમાં ભળ્યા પછી પણ કોઈ સાધુનાં દર્શન નિમિત્તે સંઘ કાઢી લઈ જવાને કા૨ણે અગર ગ્રામસંઘના મુખિયાપણાના મોભાના કારણે ‘સંઘવી’પદ રૂઢ થયું હોય. જૈન-જૈનેત૨ ધર્મ પાળતી અનેક નાતોમાં સંઘવી પદ સાધા૨ણ જ છે. સંઘવી કુટુંબો ઘણાં છે, પણ અમે ધાકડ સંઘવી તરીકે જાણીતા છીએ. વૈશ્યો વ્યાપારપ્રધાન હોઈ પોતાના ઇતિહાસ વિષે સાવ અજ્ઞાત હોય છે. તેથી અમુક વિશેષણો કે અમુક પદનો ખુલાસો ઘણી વાર તેઓ તદ્દન કલ્પિત રીતે કરે છે. આનું રમૂજી ઉદાહરણ અહીં આપવા જેવું છે. મારા પિતાજી અને બાપુજી (પિતાના વડીલ ભાઈ) બહુ ઉત્સાહ અને બહાદુરીપૂર્વક ‘ધાકડ’ કહેવાવા વિષે ખુલાસો કરતા તે મને યાદ છે. તેઓ કહેતા કે અમારા અમુક વડીલ એક વા૨ ભરવાડને ત્યાં ઘી તોળવા ગયા. તપેલાના ધડામાં તેમણે બકરીનું નાનું બચ્ચું છાબડામાં મૂક્યું. પેલી ભરવાડણ ઘીનો ગાડવો લેવા અંદર ગઈ કે પાછળથી વૈશ્ય વડીલે એ બચ્ચાને પાસે પડેલી છાશ પીવડાવી દીધી જેથી બચ્ચાનું વજન વધ્યું. ભરવાડણ બહુ ચકોર અને અભ્યાસથી અટકળ કરવામાં પાવરધી હતી. ધાર્યાં કરતાં વધારે ઘી નાંખવા છતાં ધા૨ણ બરાબર ન થઈ એટલે એ વિચારમાં પડી. એની નજર છાશના વાસણ ઉપર પડી તો એ ખાલીખટ. તેણીએ એ વડીલને પૂછ્યું કે આ બચ્ચું છાશ તો નથી પી ગયું ! આ વાસણમાં છાશ હમણાં હતી તે ક્યાં જાય ? વિચક્ષણ વડીલે કહ્યું કે હું વચ્ચે ઊભો થયેલો. કદાચ એ દરમિયાન એણે છાશ પીધી પણ હોય. ભરવાડણે એ વડીલને કહ્યું કે તમે તો ધાકડ છો. આ કલ્પિત ખુલાસામાં ૧. નાથુરામ પ્રેમી, જૈનસાહિત્ય ઔર ઇતિહાસ પૃ. ૫૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy