SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો આમ પ્રકાશના ફોટૉન કણોની કુલ સંખ્યા બમણી થાય છે અને તેના ફેલાવાનો વિસ્તાર અડધો થાય છે. તેથી તેની તીવ્રતા - પ્રકાશિત વિસ્તારમાં ચારગણી થઈ જાય છે. જ્યારે અંધકારવાળા વિસ્તારમાં પ્રકાશના કણોની સંપૂર્ણ ગેરહાજરીના કારણે તેની તીવ્રતા શૂન્ય થઈ જાય છે. 52 આ રીતે જે વ્યતિકરણની ઘટના સમજાવવા માટે અત્યારના વિજ્ઞાનીઓને તરંગવાદની સહાય લેવી પડે છે, તે જ ઘટના જૈનધર્મ ગ્રંથોમાં બતાવેલા સિદ્ધાંતોના આધારે પ્રકાશના પરમાણુ (કણ) સ્વરૂપનો સ્વીકાર કરીને પણ સમજાવી શકાય છે. મતલબ કે હવે પછી પ્રકાશ કે કોઈપણ વીજચુંબકીય શક્તિનું વહન પ્ણ સ્વરૂપે જ થાય છે એવો સ્વીકાર કરવામાં કોઈ જ મુશ્કેલી આવશે નહિ. ટૂંકમાં, પ્રકાશ, ધ્વનિ અને બધા જ પ્રકારનાં ટી.વી તથા રેડિયોનાં મોજામાં ખરેખર સૂક્ષ્મ કણો જ ગતિ કરે છે એવું 2500 વર્ષ પૂર્વે ભગવાન મહાવીરના મુખેથી બોલાયેલ શબ્દ સ્વરૂપ આગમોના આધારે શાશ્વત તથ્ય સ્વરૂપે ભવિષ્યમાં બધા જ વિજ્ઞાનીઓને તેનો સ્વીકાર કરવો પડશે. Jain Education International ✡ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy