SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ-તિથિઓમાં લીલોતરીનો ત્યાગ શા માટે ? 265 ઉપયોગ કરવાથી જેટલું પાપ બંધાય છે/હિંસા થાય છે તેટલું પાપ/હિંસા, લીલોતરીનો ત્યાગ કરવાથી થતી નથી. પરિણામે અલ્પ કર્મબંધ થાય છે. પર્વ-તિથિમાં લીલોતરીનો ત્યાગ કરવા માટેનું અન્ય એક તાર્કિક અને શાસ્ત્રીય કારણ એ છે કે મનુષ્યને લીલોતરી/ફળો વગેરેમાં આસક્તિ ન થાય તે છે. સામાન્ય રીતે સુકાં કઠોળ વગેરે કરતાં લીલાં શાકભાજી, ફળો વગેરેમાં કુદરતી સ્વાદ, મીઠાશ ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે. માટે મનુષ્ય માત્રને સુકાં કઠોળ કરતાં લીલાં શાકભાજી, ફળો વગેરેનો આહાર કરવો ખૂબ ગમે છે. જો સતત દરરોજ વિવિધ પ્રકારનાં તાજાં શાકભાજી, ફળો વગેરેનો આહાર કરવામાં આવે તો એક પરિસ્થિતિ એવી પેદા થાય કે તેને લીલાં શાકભાજી કે ફળો વગર એક દિવસ પણ ચાલે નહિ અને તેમાં આસક્તિ પેદા થાય. મતલબ કે લીલાં શાકભાજી, ફળોનું એક જાતનું વ્યસન થઈ જાય છે. તે વાત નીચેના દૃષ્ટાંત ઉપરથી સમજી શકાશે. મંત્રીશ્વર પેથડશા એક વણિક શ્રેષ્ઠિ હતા. શરૂ શરૂમાં તેઓનો પોતાનો વ્યાપાર ઘી વેચવાનો હતો. પેથડશાનો એક નિયમ એવો હતો કે દરરોજ તાજું જ ઘી વેચવું. તાજા ઘીની સોડમ-સુંગધ તથા સ્વાદ કંઈક જુદા જ પ્રકારનો હોય છે. તેથી જેઓ પેથડશાની દુકાનેથી ઘી ખરીદતા હતા, તેઓ તેમને છોડીને બીજા કોઈને ત્યાંથી ઘી ખરીદતા નહોતા. તે નગરનો રાજા જયસિંહ દરરોજ પેથડશાની દુકાનેથી તાજું ઘી મંગાવીને જ ભોજન કરતો હતો. એક વખત એવું બન્યું કે રાજાની દાસી પેથડશાની દુકાને ઘી લેવા આવી, પેથડશા બહાર ગયા હતા અને દુકાન ઉપર પેથડશાનો પુત્ર ઝાંઝણશા બેઠો હતો. તેણે દાસીએ ઘી માટે પૂછ્યું તો ઝાંઝણશા એ “ના” કહી. “ઘી નથી.” દાસી પાછી ફરી, રાજાએ ફરીથી દાસીને મોકલી તોપણ ઘી મળ્યું નહિ. રાજાએ તે દિવસે ભોજન જ ક્યું નહિ. રાજાએ ઝાંઝણશાને બોલાવી કારણ પૂછ્યું તો ઝાંઝણશાએ કહ્યું: “રાજનું! ઘી તો હતું પરંતુ દાસી લેવા આવી તે પહેલાં એક ગ્રાહક આવેલ, તેણે છીંક ખાધી, તે સમયે ઘીનું ભાજનવાસણ ખુલ્લું હતું. વળી, તે ખુલ્લું રહી જવાના કારણે કદાચ તેમાં ગરોળીનો ગલ પણ પડ્યો હોય, તેવી સંભાવનાના કારણે મેં આપની દાસીને ઘી આપ્યું નહિ.” ટૂંકમાં, સ્વાદિષ્ટ ભોજનની આસક્તિ ક્યારેક વ્યસન રૂપ બની જાય છે. એ આસક્તિ ન બને તે માટે વચ્ચે વચ્ચે આંતરું પાડવું જરૂરી છે. સામાન્ય રીતે કર્મવાદ(Karma Philosophy)નો એવો નિયમ છે કે જેણે જે પ્રકારના પદાર્થોમાં આસક્તિ થઈ જાય છે, તેણે તેવા પદાર્થોમાં જન્મ લેવો પડે છે આનાં ઘણાં ઘણાં દષ્ટાંતો શાસ્ત્રોમાં જોવા મળે છે. આ નિયમમાં દેવલોકના દેવો, જેઓને સંસ્કૃત ભાષામાં વિવુધ અર્થાત્ પંડિત કહેવામાં આવે છે, તેઓ પણ બાકાત નથી. તેઓને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy