SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ 160 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો miller) નામના એક વિજ્ઞાનીએ એક સાધન બનાવ્યું અને પ્રયોગ કરી સિદ્ધ કરી બતાવ્યું કે H, CH, NH,, અને H, (vapour)નાં સંયોજનો વડે એક અઠવાડિયામાં એક પ્રવાહીરૂપે જ એમિનો એસિડ્ઝ અને બીજાં કેટલાંકorganic compounds, DNA અને RNAજે સજીવ પદાર્થોમાં જોવામાં આવતાં હતાં, તે તૈયાર થઈ શકે છે. એ. આઈ. ઑપેરિન (A.I. Oparin)ની થીઅરીને સિદ્ધ કરતો બીજો એક પ્રયોગ ઈ. સ. 1964માં સીડની ફોક્સ (Sidney Fox) નામના વિજ્ઞાનીએ કર્યો. તેમાં એણે કેટલાક એમિનોએસિઝના મિશ્રણને ગરમ કર્યું. ત્યારે કેટલીક રાસાયણિક પ્રક્રિયા પછી polypeptids તૈયાર થયા અને તેની નાની નાની સાંકળ થઈ. તેને proteinoids કહેવાઈ કારણ કે તેમનો સ્વભાવ પ્રોટીન જેવો હતો. આ પ્રોટીનોઇડ્ઝને ગરમ પાણીમાં નાખી, એ ગરમ પાણી ઠંડું કરતાં કેટલાય સૂક્ષ્મ ગોળાઓ microspheres તૈયાર થયા. ઑપેરિનની થીઅરીમાં માનવામાં આવેલી primitive આદ્ય પરિસ્થિતિમાં લાંબી રાસાયણિક પ્રક્રિયાઓની સાંકળ થાય છે, અને તેમાં મોટા અણુઓ જેવા કે polynucleotides, જે DNA અને RNA માં જોવા મળે છે, તેનું નિર્માણ થયું. ઉપર બતાવેલા સૂક્ષ્મ ગોળાઓ (microsphere) અને મોટા અણુઓ (polynucleotides) જોકે જીવતા કોષો જેવા ન હતા પરંતુ ઘણા organic પદાર્થોના કણ હતા કે જેમણે કુદરતી tendency (સ્થિતિસ્થાપકતા) વગેરે લક્ષણો મેળવી લીધાં હતાં. આ કણો અને સૂક્ષ્મ ગોળાઓ એકબીજા સાથે ભળી જઈને વધુ જટિલ (complex) પદાર્થો બનાવે છે. જે પદાર્થોની દરિયાના પાણીમાં વૃદ્ધિ થઈ શક્તી હતી અને તે DNA જેવા હતા. તદુપરાંત પોતે પોતાની જાતે બેવડાઈ જતા હતા. એટલે કે પોતાના જેવા જ બીજા પદાર્થો ઉત્પન્ન કરી શકતા. અને તેઓ વિષાણ (viruses) જેવા હતા. તેમાંથી આદ્ય પ્રાણી કોષ cellular structure બન્યા. જેઓ organic પદાર્થો પર જીવતા હતા અને CO, બહાર કાઢતા હતા, તેઓને heterotrophs કહેવામાં આવ્યા. તેમની વૃદ્ધિમાં કોઈક ખામી(ભૂલીને કારણે તેમાંથી photosynthetic (પ્રકાશસંશ્લેષણીય) જેવા સાદા પદાર્થ(કોષો)નો જન્મ થયો, એમ માનવામાં આવે છે. આ રીતે આ સૃષ્ટિમાં પ્રથમ પ્રાણી જગતના આદ્ય કોષો ઉત્પન્ન થયા અને તેમાંથી વનસ્પતિ જગતના આદ્યકોષોનું નિર્માણ થયું એમ વિજ્ઞાનીઓ માને છે. પરંતુ જૈનધર્મની માન્યતા આનાથી તદન વિરુદ્ધ છે. પ્રથમ તો પ્રાણીજગત અને વનસ્પતિજગત ઉપરાંત બીજા પણ સજીવ પદાર્થોના વિભાગ આ દુનિયામાં છે જેવા કે પૃથ્વીકાય, અપ્લાય, અગ્નિકાય અને વાયુકાય. પરંતુ તે વાત અહીં અસ્થાને છે. પ્રાણીજગતની અને વનસ્પતિજગતની ઉત્પત્તિ બાબતમાં જૈનધર્મ માને છે કે તેઓનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy