SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારકણિકા • ૧૮૭ બંધન નથી. પણ તેની પાછળ રહેલ તૃષ્ણાવૃત્તિ અગર દૃષ્ટિની સંકુચિતતા અને ચિત્તની અશુદ્ધિ જ બંધનરૂપ છે. માત્ર એ જ દુઃખ આપે છે. આ જ અનુભવ અનાસક્ત કર્મવાદ દ્વારા પ્રતિપાદન થયો છે. આ પુસ્તકના લેખકોએ એમાં સંશોધન કરી કર્મશુદ્ધિનો ઉત્તરોત્તર પ્રકર્ષ સાધવા માટે જ ભાર આપ્યો છે, અને તેમાં જ મુક્તિનો અનુભવ કરવાનું તેમનું પ્રતિપાદન છે. પગમાં સોય વાગે અને પછી તેને કોઈ બહાર કાઢી ફેંકી દે તો સામાન્ય રીતે એને કોઈ ખોટું ન કહે; પણ જ્યારે સોય ફેંકનાર પાછો સીવવા અને બીજા કામ માટે નવી સોય શોધે અને ન મળતાં અધીરો થઈ દુઃખ અનુભવે ત્યારે સમજદાર માણસ એને જરૂર કહે કે તે ભૂલ કરી. પગમાંથી સોય કાઢવી એ તો બરાબર છે, કેમકે તે અસ્થાને હતી, પણ જો તેના વિના જીવન ચાલતું જ નથી તો તેને ફેંકી દેવામાં ભૂલ અવશ્ય છે. તેનો યથાવત્ ઉપયોગ કરવા માટે યોગ્ય રીતે તેનો સંગ્રહ કરવો એ જ પગમાંથી સોય કાઢવાનો સાચો અર્થ છે. જે ન્યાય સોય માટે તે જ ન્યાય સામૂહિક કર્મ માટે છે. માત્ર વૈયક્તિક દૃષ્ટિએ જીવન જીવવું એ સામૂહિક જીવનની દૃષ્ટિમાં સોય ભોંકવા બરાબર છે. એ સોયને કાઢી તેનો યથાવત્ ઉપયોગ કરવો એટલે સામૂહિક જીવનની જવાબદારી સમજપૂર્વક સ્વીકારી જીવન જીવવું તે. આવું જીવન વ્યક્તિની જીવનમુક્તિ છે. જેમ જેમ પ્રત્યેક વ્યક્તિ પોતાની વાસના શુદ્ધિ દ્વારા સામૂહિક જીવનનો મેલ ઓછો કરતી જાય તેમ તેમ સામૂહિક જીવન દુઃખમુક્તિ વિશેષ અનુભવતું જ જવાનું. આ રીતે વિચારીએ એટલે કર્મ એ જ ધર્મ બની જાય છે. અમુક ફળ એટલે રસ ઉપરાંત છાલ પણ. છાલ ન હોય તો રસ ટકે કેમ? અને રસ વિનાની છાલ એ પણ ફળ તો નહિ જ. તે જ રીતે ધર્મ એ તો કર્મનો રસ છે, અને કર્મ એ માત્ર ધર્મની છાલ છે. બંને યથાવતુ સંમિશ્રિત હોય તો જ એ જીવનફળ પ્રગટાવે. કર્મના આલંબન વિના વૈયક્તિક તેમજ સામૂહિક જીવનની શુદ્ધિરૂપ ધર્મ રહી જ ક્યાં શકે ? અને એવી શુદ્ધિ ન હોય તો તે કર્મનું છાલથી વધારે મૂલ્ય પણ શું? આ જાતનો કર્મધર્મવિચાર એમનાં લખાણોમાં ઓતપ્રોત છે. સાથે વિશેષતા એ છે કે મુક્તિની ભાવના પણ તેમણે સામુદાયિક જીવનની દૃષ્ટિએ જ વિચારી અને ઘટાવી છે. કર્મ–પ્રવૃત્તિઓ અનેક જાતની છે, પણ તેનું મૂળ ચિત્તમાં છે. કયારેક યોગીઓએ વિચાર કર્યો કે જ્યાં લગી ચિત્ત હોય ત્યાં લગી વિકલ્પો ઊઠવાના વિકલ્પો ઊઠે તો શાંતિ ન જ અનુભવાય, તેથી “મૂને વીરઃ' ન્યાયે ચિત્તનો વિલય કરવા તરફ જ ઝૂક્યા, અને ઘણાએ માની લીધું કે ચિત્તવિલય એ જ મુક્તિ છે અને એ જ પરમ સાધ્ય છે. માનવતાના વિકાસનો વિચાર જ બાજુ ઉપર રહી ગયો. આ પણ બંધન લેખે કર્મ ત્યાગવાના વિચારની પેઠે ભૂલ જ હતી. એ વિચારમાં બીજા અનુભવીઓએ સુધારો કર્યો કે ચિત્તવિલય એ મુક્તિ નથી, પણ ચિત્તશુદ્ધિ એ જ મુકિત છે. બંને લેખકોનું વક્તવ્ય એ છે કે ચિત્તશુદ્ધિ એ જ શાંતિનો એકમેવ માર્ગ હોવાથી તે મુક્તિ અવશ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy