SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ બાકીના બે વાંધાઓ વિશે પહેલાં વિચાર કરી લેવો યોગ્ય થશે. ઘણાક માને છે અને કહે છે કે મોન્ટીસૉરી શિક્ષણપદ્ધતિમાં નિયમન નથી, અને તેમાં બાળકો સ્વચ્છન્દી બને છે. મને તેઓના કથનમાં કાંઈ વજૂદ ન જણાયું. ત્રણથી છ વર્ષનાં બાળકો જે એકાગ્રતાથી, જે અદબથી અને જે અનુકૂળ વાતાવરણથી આકર્ષાઈને બાલમંદિરમાં શીખતાં અને પ્રયોગ કરતાં જોવામાં આવ્યાં, તે ઉપરથી એમ જણાય છે કે પ્રસ્તુત પદ્ધતિમાં સ્વચ્છન્દ નહિ પણ સાહજિક વિકાસની કેળવણી મળે છે. અલબત્ત, જો શિક્ષકની સોટી, કરડી આંખ અગર આડુંઅવળું વેતરતી તેની વાણીને નિયમન માનવામાં આવતું હોય તો તેવું નિયમન મોન્ટીસોરી શિક્ષણ પદ્ધતિમાં બિલકુલ નથી જ. પણ આવા નિયમનનો અત્યંત અભાવ એ તો આ શિક્ષણ પદ્ધતિનો અંતરાત્મા હોઈ તેનું ભૂષણ છે, દૂષણ નહિ. જે નાનાં નાનાં બાળકો માબાપનાં અનેક દબાણો, લાલચો અને કૃત્રિમ ભયો છતાં પોતાની ચંચળ વૃત્તિને સ્વાભાવિક રીતે એક વિષયમાં નથી યોજી શકતાં, તથા જે બાળકોનો કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય વિષયક વિકાસ સાધવા શિક્ષકોની યમ-દષ્ટિ નિષ્ફળ નીવડે છે, તે બાળકો લાલચ, ભય અને સખ્તાઈ વિના આપોઆપ અશ્રાન્તપણે આનન્દી ચહેરે પોતાની ચંચળ વૃત્તિને પોતાની પસંદગીના વિષયમાં લાંબા વખત સુધી રોકે અને બહારની પ્રેરણા સિવાય જ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયનો વિકાસ સાધે – એ સ્થિતિને જો સ્વચ્છન્દ માનીએ તો સાચી સ્વતંત્રતા, નિર્ભયતા અને સાહજિકતાને શબ્દકોષ સિવાય ક્યાંય સ્થાન નથી એમ માનવું જોઈએ. મોન્ટીસોરી પદ્ધતિમાં હરીફાઈનું ધોરણ નથી અને તેને લીધે હરીફાઈથી થતી જ્ઞાનવૃદ્ધિ એ પદ્ધતિમાં ન થઈ શકે એવો આરોપ મૂકવામાં આવે છે. આ આરોપ મૂકનાર માત્ર એમ જ સમજતા હોવા જોઈએ કે શિક્ષણના પ્રદેશમાં હરીફાઈ એ એકાન્ત લાભદાયક તત્ત્વ છે, પણ ખરી રીતે એમ નથી. કોઈ વાર હરીફાઈથી હરીફોને લાભ થાય છે ખરો, પણ ઘણી વાર હરીફાઈમાં પાછો પડનાર હરીફ આત્મામાનનાને લીધે હતોત્સાહ થઈ જાય છે, અને પછી તે પોતાના બીજા શક્ય અને પસંદગીના વિષયમાં પણ જોઈતું બળ મેળવી શકતો નથી. દરેક વ્યક્તિમાં ઉત્સાહ એ જ ખરો પ્રાણ છે. ઉત્સાહને હરીફાઈ દ્વારા જગાડવો તેમાં લાભ કરતાં જોખમ ઓછું તો નથી જ. દરેક બાળકની દરેક વિષય પરત્વે શક્તિ સરખી હોતી નથી. વૃત્તિ પણ જુદી જુદી હોય છે. તેથી પ્રત્યવાય વિનાનું તદ્દન અનુકૂળ વાતાવરણ ઊભું કરી પોતપોતાની વૃત્તિ પ્રમાણે બાળકોને શક્તિ ખીલવવાની તક મળે તો તેઓનો ઉત્સાહ કુવામાં પાણીની સેરો ઝરે તેમ, આપોઆપ પોતપોતાની પસંદગીના વિષયમાં ઝરે છે અને ક્રમશઃ વધે છે. આ સ્વાભાવિક ક્રમથી બે લાભ થાય છે. દરેક બાળકને પોતાની રુચિ પ્રમાણે પોતામાં રહેલી વિશિષ્ટ શક્તિ ખીલવવાની તક મળતી હોવાથી પોતાનું વ્યક્તિત્વ સાધવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy