SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૮. રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ આજની સમસ્યાઓ વિશે વિચાર કરનાર હરેક સમજદારના મનમાં સવાલ ઊઠે છે કે આ નવી અને દિન પ્રતિદિન જીવનને વ્યાપતી એવી સમસ્યાઓ કયા પ્રકારના આચાર-વ્યવહાર કે સદાચારના નિયમોથી ઉકેલાવાનો સંભવ છે ? અલબત્ત, આવો વિચાર કરનાર એ તો જાણે જ છે કે તે તે કાળે અને તે તે સ્થળે પંથભેદ, જ્ઞાતિભેદ અને સમાજભેદ વગેરેને લીધે અનેક આચારો સદાચારરૂપે પ્રજાજીવનમાં ઊંડાં મૂળ નાખીને પડ્યાં છે. નવો વિચારક એવા પ્રચલિત આચારોની અવગણના તો કરતો જ નથી, પણ એ તો એ તપાસે છે કે શું એ રૂઢમૂળ થયેલ આચાપ્રથાઓ નવી અને અનિવાર્ય એવી સમસ્યાઓનો ઉકેલ કરી શકે તેમ છે ? તેની તપાસ અને વિચારસરણી જાણ્યા પછી જ તે જે સિદ્ધાંતને આધારે નવા સદાચારના નિર્માણ ઉપર ભાર આપવા માગે છે તેનું બળાબળ ઠીક ઠીક આપણી સમજણમાં ઊતરે. તેથી ટૂંકમાં પ્રથમ પ્રચલિત આચારો વિશેની એની તપાસણી આપણે જાણી લઈએ. ઇસ્લામ એક ખુદા–પ્રભુને સર્વશ્રેષ્ઠ ગણી તેની નમાજરૂપે પાંચ વાર બંદગી કરવા ફરમાવે છે અને કુરાનની આજ્ઞાઓને પ્રાણાન્ત પણ વળગી રહેવા કહે છે. તે લગ્ન અને બીજા દુન્યવી વ્યવહારો એ જ આજ્ઞાઓમાંથી ઘટાવે છે; જ્યારે ખ્રિસ્તી પંથ બાઈબલ, જિસસ ક્રાઈસ્ટ અને ચર્ચની આસપાસ પોતાનું આચારવર્તુલ રચે છે. મૂર્તિવાદી મંદિર, તિલક, મૂર્તિપૂજા આદિને કેન્દ્રમાં રાખી આચાપ્રથાઓ પોષે છે; જ્યારે મૂર્તિવિરોધી એ જ શાસ્ત્રો માનવા છતાં તદ્દન એથી ઊલટું આચારવર્તુળ રચે છે. આ તો પંથ-પંથના ધાર્મિક ગણાતા આચારની દિશા થઈ. પણ એક જ પંથને અનુસરતા કેટલાક સમાજો અને જ્ઞાતિઓમાં ઘણી વાર સામાજિક યા જ્ઞાતિગત આચારો સાવ વિરુદ્ધ જેવા પણ પ્રવર્તતા હોય છે. એક જ્ઞાતિ અબોટિયું અને ચોકાને જીવનધર્મ લેખે છે તો એના જ પંથ અને શાસ્ત્રોને અનુસરતી બીજી જ્ઞાતિને અબોટિયા કે ચોકાનો કશો જ વળગાડ નથી હોતો. એક જ વર્ણના એક ભાગમાં પુનર્લગ્નની તદ્દન છૂટ તો બીજા ભાગમાં પુનર્લગ્ન એ સામાજિક હીણપત ! એક જ શાસ્ત્ર અને એક જ વર્ણના અનુયાયી અમુક સમાજના એક ભાગમાં મામા-ફઈનાં સંતાનોનું લગ્ન પવિત્ર ગણાય તો બીજા ભાગમાં તે તદ્દન કલંક ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy