SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ તે તેમના અજ્ઞાન ને પ્રમાદને લીધે બંધ પડવું હોય ને બીજો કોઈ આપમેળે તે કામ કરી આપતો હોય તો કયો એવો સમજદાર જૈન હશે કે જે એ કામને પોતાનું ગણી વધાવી નહિ લે, અને પોતાની આજ સુધીની અજ્ઞાનજન્ય ભૂલને સુધારવા બદલ એ કામ કરી આપનારને ધન્યવાદ નહિ આપે ? આ રીતે જોવા જઈએ તો મુંબઈ સરકાર જે ધારો ઘડી રહી છે તે ખરી રીતે જૈન ધર્મનું જ કામ બજાવી રહી છે. જૈનોએ તો હરિજન મંદિપ્રવેશ બિલ ઉપસ્થિત કરનાર અને તેને કાયદાનું રૂપ આપવા ઈચ્છનાર સરકાર દ્વારા હેમચંદ્ર, કુમારપાળ, હીરવિજયજી જ કામ કરી રહ્યા હોય એમ માની ચાલવું જોઈએ. તેને બદલે પોતાના મૂળભૂત ધ્યેયથી ઊલટી જ દિશામાં ચાલવું એ તો પોતાના ધર્મની હાર અને સનાતન વૈદિક પરંપરાની જીવ કબૂલવા બરોબર છે. હરિજન-મંદિઅવેશ બિલ ગમે તેણે ઘડ્યું હોય ને ગમે તે સરકાર અધિકાર ઉપર હોય, પણ એમાં વિજય તો જૈન ધર્મના અસલી આત્માનો જ છે. આવો વિજય દેખી તેમાં રાચવા અને તેને સાથ આપવાને બદલે પોતાની ધર્મસ્મૃતિ અને પ્રામાદિક સ્થિતિને જ ધર્મ લખી સત્કાર્યનો કલ્પિત દલીલોથી વિરોધ કરવો એ બીજું ગમે તે હોય પણ જેનપણું તો નથી જ. જૈનો પરાપૂર્વની જેમ પોતાના ત્યાગી સંઘમાં, જાત કે લિંગનો ભેદ રાખ્યા સિવાય, સૌને સ્થાન આપતા આવ્યા છે તેમ તેઓ હંમેશાં પોતાનાં ધર્મસ્થાનોમાં જન્મથી જેનો ન હોય તેવાઓને સમજાવીને, લાલચથી, લાગવગથી કે બીજી રીતે લઈ જવામાં ગૌરવ માનતા આવ્યા છે. કોઈ પરદેશી ગૌરવર્ણ ભાઈ કે બાઈ, સત્તાધારી કે વૈભવશાળી પારસી કે મુસલમાન હોય, કોઈ અમલદાર ઠાકોર કે ભીલ હોય કે હરકોઈ, પણ જો તે સમ્પત્તિ, સત્તા કે વિદ્યાર્થી ઉચ્ચ ગણાતો હોય તો તેને પોતાનાં ધર્મસ્થાનમાં યેન કેન પ્રકારેણ લઈ જવામાં જેનો જૈન ધર્મની પ્રભાવના માનતા આવ્યા છે, અને એવી વ્યક્તિ જો આપમેળે જૈન ધર્મસ્થાનોમાં આવવાની ઇચ્છા પ્રદર્શિત કરે તો તો જૈન ગૃહસ્થ કે ત્યાગીઓની ખુશીનો પાર રહેતો નથી. આ વસ્તુસ્થિતિ આજ લગી સામાન્ય છે. આવે વખતે કોઈ પણ ત્યાગી કે ગૃહસ્થ જૈન એમ વિચારવા નથી થોભતો કે મંદિર અગર ઉપાશ્રય આદિ ધર્મસ્થાનોમાં આવનાર વ્યક્તિ રામનું નામ લે છે, કૃષ્ણનું નામ લે છે, અહુરમઝૂદનું નામ લે છે, કે ખુદા અગર ઈસુ ખ્રિસ્તનું નામ લે છે. એના મનમાં એટલું જ હોય છે કે ભલેને ગમે તે પંથનો હોય, ગમે તેનું નામ રટણ કરતો હોય, ગમે તેની ઉપાસના કરતો હોય, કદાચ માંસભક્ષી અને મદ્યપાની પણ હોય, છતાં જો તે આપમેળે અગર મારી પ્રેરણાથી જૈન ધર્મસ્થાનમાં એકાદ વાર પણ આવશે તો તે કાંઈ ને કાંઈ બોધ ગ્રહણ કરશે, કાંઈ ને કાઈ શીખશે. આ ઉદારતા જ્ઞાનમૂલક હો કે નિર્બળતામૂલક હો, પણ તે પોષવા અને ઉત્તેજવા લાયક તો છે જ. હેમચન્દ્ર જ્યારે સિદ્ધરાજ પાસે જતા ત્યારે શું તેઓ જાણતા નહિ કે સિદ્ધરાજ શેવ છે? જ્યારે હેમચન્દ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy