SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ - સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સંતો પણ વૈદિક કે પૌરાણિક પરંપરામાં જ છેવટે સ્થાન પામ્યા છે. તેથી હરિજનોને હિન્દુ સમાજના અંગ અને હિન્દુ ધર્મના અનુયાયી માની લેવા છતાંય તેમનો સમાસ હિન્દુ સમાજની વૈદિક-પૌરાણિક પરંપરામાં થઈ શકે, જૈન પરંપરામાં તો નહિ જ. આવો ફલિતાર્થ બધી ચર્ચા ઉપરથી નીકળે છે, અને તે સાધાર પણ છે. તેથી બીજા પક્ષની રજૂઆત કરનારાઓએ હરિજન-મંદિપ્રવેશના બિલને જૈન સમાજથી બાકાત રખાવવું હોય તો એમ કહેવાની જરૂર નથી કે જૈન ધર્મ હિન્દુ ધર્મથી જુદો છે, પણ એમણે બહુ બહુ તો એટલું જ કહેવું જોઈએ કે હિરજનોય હિન્દુ છે, જૈનો પણ હિન્દુ છે, જૈન ધર્મ પણ હિન્દુ ધર્મનો એક ભાગ છે; છતાં હિરજનો જૈન સમાજના નથી અંગ કે નથી જૈન ધર્મના અનુયાયી. હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મને એક શરી૨ માનીએ અને તેના ભેદો તથા પેટાભેદોને હાથ-પગ જેવા અવયવ અગર અંગૂઠા-આંગળી જેવા પેટા અવયવ માનીએ તો હિરજનો એ હિન્દુ ધર્મને અનુસરતા હિન્દુ સમાજના બીજા મોટા એવા એક વૈદિક-પૌરાણિક ધર્માનુયાયી સમાજમાં જ સ્થાન પામી શકે, નહિ કે જૈન સમાજમાં. હરિજનો હિન્દુ છે, જૈનો પણ હિન્દુ છે. તેથી હિરજનો અને જૈનો એ બંને અભિન્ન સાબિત નથી થતા, જેમ કે બ્રાહ્મણો અને રજપૂતો અગ૨ રજપૂતો અને મુસલમાનો. મનુષ્ય સમાજના બ્રાહ્મણ, રજપૂત અને મુસલમાન એ બધા અંગો છે તેટલા માત્રથી તે પ્રત્યેક, મનુષ્ય તરીકે એક હોવા છતાં, અંદરોઅંદર તેઓ બિલકુલ ભિન્ન જ છે તેમ હિરજનો અને જૈન હિન્દુ હોવા છતાં અંદરોઅંદર સમાજ અને ધર્મની દૃષ્ટિએ સાવ જુદા છે. આવો વિચાર બીજા પક્ષ તરફથી ઉપસ્થિત થાય તો તે સાધાર લેખી શકાય. તેથી હવે આ પક્ષ ઉ૫૨ જ વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. આપણે અત્રે જૈન ધર્મના અસલી પ્રાણને ન ઓળખીએ તો પ્રસ્તુત વિચાર તદ્દન અસ્પષ્ટ રહે અને લાંબા કાળથી પોષાતી આવેલી ભ્રમણાઓ ચાલુ રહે. તેથી જૈન ધર્મનો વાસ્તવિક આત્મા શો અને કેવો છે તેનો ટૂંકમાં પ્રથમ વિચાર કરીએ. જેમ દરેક ધર્મનું કોઈ ને કોઈ વિશિષ્ટ ધ્યેય હોય છે તેમ જૈન ધર્મનું પણ એક વિશિષ્ટ ધ્યેય છે. તે જ જૈન ધર્મનો અસલી પ્રાણ છે. તે ધ્યેયને સંક્ષેપમાં આ પ્રમાણે દર્શાવી શકાય. માનવતાના સર્વાંગીણ વિકાસમાં આડે આવે તેવા બધા જ પ્રત્યવાયો નિવારવા મથવું અને સાર્વત્રિક નિરપવાદ ભૂતદયાના અર્થાત્ આત્મૌપમ્યના સિદ્ધાંતને આધારે પ્રાણીમાત્રને અને વિશેષે માનવમાત્રને ઊંચ-નીચ, ગરીબ-તવંગર કે એવા કોઈ પણ જાતના ભેદભાવ સિવાય સુખસગવડની અને વિકાસની તકો પૂરી પાડવી. આ મૂળભૂત ધ્યેયમાંથી જ કેટલાંક જૈન ધર્મનાં વિશિષ્ટ લક્ષણો આવિર્ભાવ પામ્યાં છે, જેમ કે (૧) કોઈ પણ દેવ દેવીના ભય કે અનુગ્રહ ઉપર જીવન જીવવાના વહેમથી મુક્તિ મેળવવી; (૨) એવી મુક્તિમાં બાધા નાખે તેવાં શાસ્ત્રો કે તેવી પરંપરાઓને પ્રમાણ તરીકે માનવાનો સદંત૨ ઇનકાર કરવો; (૩) એવાં શાસ્ત્રો. પરંપરાઓ ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy