SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ લોકો પોતે જ પોતાના પ્રતિનિધિઓ ચૂંટે અને તે પ્રતિનિધિઓ લોકહિત અર્થે જ બધું વિચારે અને કરે એ સુરાજ્યની દિશા છે. પણ દિશા હોવી તે એક વાત અને તે દિશામાં ત્વરિત ગતિએ સાચું પ્રયાણ કરવું એ બીજી વાત છે. ઉંમરલાયક સ્ત્રીપુરુષો મત આપે, પણ તે મતદાન પાછળ પૂરી સમજણ, વિવેક અને નિર્ભયતા ન હોય તો એ મતદાન પોકળ જેવું સાબિત થાય. ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટાયા પછી સંપૂર્ણપણે લોકહિતના પ્રશ્નમાં જાગતા ન રહે તે માટે પ્રયત્નશીલ ન રહે, તો એ પણ એક નાટક ભજવવા જેવું જ થાય. રાજ્યધુરાવાહકો પોતાની સત્તાના જ ગુલામ થઈ જાય અને લોકસંપર્કથી વેગળા પડી પોતાને કોઈ જુદા વર્ગના જ માનવા જેટલું ગુમાન સેવે તો એ પણ લોકશાહીની મશ્કરી જ છે. આપણું સ્વરાજ્ય લોકશાહી ઉપર ચાલે છે એ ખરું, પણ સુરાજ્ય માટે લોકશાહીના અંગેઅંગમાં જે બળ, જે તાજગી, અને જે સ્કૂર્તિ જોઈએ તે નથી. એટલે સુરાજ્યની દિશામાં હોવા છતાં દેશ આગળ વધી શકતો નથી, સુરાજ્યનું સુખ અનુભવી શકતો નથી. સુરાજ્યનું પહેલું લક્ષણ એ હોવું જોઈએ કે કામ કરી શકે એવા ઉંમરલાયક કોઈ પણ સ્ત્રીપુરુષને બેકાર રહેવું ન પડે. આજે એ સ્થિતિ નથી. અકર્મણ્યતા હાડોહાડમાં હોવા છતાં પણ જીવવા માટે ઘણા લોકો કામ માગે છે અને તેમને પૂરતું કામ મળતું નથી. ગણ્યાગાંઠ્યા માણસો કામના બોજથી ઘસાય છે તો લોકોનો મોટો ભાગ બેકારીથી ઘસાય છે. ગાંધીજીએ પોતાની હિલચાલ દરમ્યાન એ વાત ધ્યાનમાં રાખેલી કે દેશના કરોડો માણસોને કામમાં જોતરવા હોય તો શું શું કામ સરળતાથી તેમને ઘરબેઠાં આપી શકાય. ગાંધીજીની આ દૃષ્ટિની અત્યારે ઉપેક્ષા જ નથી થઈ રહી, પણ ખરી રીતે કહીએ તો જાણે-અજાણે સરકારને હાથે એ દષ્ટિનો આત્મા હણાઈ રહ્યો છે. એટલે અત્યારે એમ કહી શકાય કે સ્વરાજ્ય હજી સુરાજ્યનું પ્રથમ લક્ષણ સિદ્ધ નથી કર્યું. સુરાજ્યનું બીજું લક્ષણ એ હોવું જોઈએ કે દેશના દરેક નિવાસી પોતે ધારે તેવી કેળવણી - જીવનપ્રદ કેળવણી – સરળતાથી મેળવી શકે. આજે આ સ્થિતિ છે જ નહિ. કેળવણી મેળવવાનું એટલું બધું મોંઘુ અને મુશ્કેલ બની ગયું છે કે બહુ ગણ્યાગાંઠ્યા જ સરળતાથી તે મેળવી શકે. બીજાઓ માટે તો કેળવણી લેવી – માનસિક સંસ્કારો અને યોગ્યતા મેળવવાં – એનો અર્થ છે પોતાની જુવાની બરબાદ કરવી; એટલું જ નહિ, પણ પોતાના પોષકો અને વડીલોને અર્થે પેટે રાખવા. ગાંધીજીના પ્રયત્નમાં એ પણ એક વસ્તુ સમાયેલી હતી કે લોકો બધા જ સરખી રીતે કેળવાય. આ બાબતમાં પણ સ્વરાજ્ય-સરકાર ગાંધીજીની દષ્ટિને વિકસાવી શકી નથી. સુરાજ્યનું એક લક્ષણ એ છે કે તેમાં ન્યાય મોંઘો ન હોય અને તે મેળવવામાં જરાયે મુશ્કેલી ન હોય. આજે આ બાબતમાં બ્રિટિશ અમલ કરતાં કશો જ સુધારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy