SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા • ૧૨૭ કોંગ્રેસ એટલા માટે પ્રવેશયોગ્ય ન હતી કે તેમણે માનેલા ખાસ ખાસ મૂલ સિદ્ધાંતોનો અમલ તેઓ કોંગ્રેસની પ્રવૃત્તિમાં જોઈ કે વિચારી ન શકતા. જમાનો બદલાયો. લાલા લજપતરાયે એક જાહેર વક્તવ્યમાં પ્રગટ કર્યું કે યુવકોને અહિંસાની શિક્ષા આપવી એ તેમને ઊલટે રસ્તે ચઢાવવા જેવું છે. અહિંસાએ દેશમાં નમાલાપણું આપ્યું છે. એને ફરીથી અહિંસાના શિક્ષણ દ્વારા ઉત્તેજન જ મળવાનું. લોકમાન્ય તિલકે પણ ક્યારેક એવા વિચાર દર્શાવેલા કે રાજકીય ક્ષેત્રમાં સત્યનું પાલન મર્યાદિત જ હોઈ શકે; એમાં ચાણક્યનીતિ જ વિજયી નીવડે. આવે વખતે અહિંસા અને સત્યમાં મક્કમ માન્યતા ધરાવનાર છતાં આપત્તિ પ્રસંગે અગર બીજા આપવાદિક પ્રસંગે અહિંસા કે સત્યને અનુસરવાનો એકાન્તિક આગ્રહ ન સેવનાર ધાર્મિક વર્ગ માટે તો અનુકૂળ જ હતું; તેમને ભાવતું જ મળ્યું. પણ લાલાજી કે તિલકના એ ઉદ્દગારો જૈનોને અનુકૂળ પડે તેવા ન હતા. વિચારક ગૃહસ્થ અને ત્યાગી જેની સામે બે વસ્તુ આવી : એક તો લાલાજીના અહિંસાથી આવતી નિર્માલ્યતાના આક્ષેપનો સમર્થ રીતે જવાબ આપવો તે અને બીજી વસ્તુ છે કે જે કોંગ્રેસના મહારથી નેતાઓ હિંસા અને ચાણક્યનીતિનું પોષણ કરે અને તેનો પક્ષ લે તે કોંગ્રેસમાં “અહિંસા પરમો ધર્મ માનનાર જૈન ભાગ શી રીતે લઈ શકે? બીજી વસ્તુ તો કોંગ્રેસમાં ભાગ ન લેવાની જૈન ત્યાગીઓની જૂની મનોવૃત્તિને અનુકૂળ જ હતી. એટલે એ તો ભાવતું થયું. હવે પછી કોંગ્રેસમાં સાચા જૈનોએ-ખાસ કરી ત્યાગી જૈનોએ-ભાગ લેવો યોગ્ય નથી એ સાબિત કરવાનું નવું તાજું સાધન મળી આવ્યું. પણ પેલા આક્ષેપના જવાબનું શું થાય? જવાબો તો દેશમાંની જુદી જુદી જૈન સંસ્થાઓએ ઘણા વાળ્યા, પણ એ તો લાલાજી જેવા સમર્થ વ્યક્તિત્વવાળા દેશભક્ત સામે મચ્છરના ગણગણાટ જેવા હતા. બધાં જૈન પત્રો ક્ષણભર ઊકળ્યાં અને પછી શમી ગયાં. તિલક સામે કહેવાની કોઈ જૈન ગૃહસ્થ કે ત્યાગીની હિંમત જ ન હતી. સૌ સમજતું ને માનતું કે વાત ખરી છે. રાજકાર્યમાં તે વળી ચાણકયનીતિ વિના ચાલે? પણ એનો સરસ જવાબ જેની પાસે એ જ હોઈ શકે કે ત્યારે એવી ખટપટી સંસ્થામાં આપણે ભાગ જ ન લેવો, એટલે પાપથી બચ્યા. અચાનક હિંદુસ્તાનના કર્મક્ષેત્રના વ્યાસપીઠ ઉપર ગુજરાતનો એક તપસ્વી આવ્યો. એણે જીવનમાં ઉતારેલ સિદ્ધાન્તને બળે લાલાજીને જવાબ આપ્યો કે અહિંસાથી નમાલાપણું આવે છે કે તેમાં અપરિમિત બળ પણ સમાયેલું છે ? વળી, એણે એ પણ સ્પષ્ટ કર્યું કે હિંસા એ માત્ર વીરત્વની જ પોષક હોત અગર થઈ શકે તો જન્મથી જ હિંસાપ્રિય રહેનારી જાતિઓ બીકણ કેમ દેખાય છે? આ જવાબ જો માત્ર શાસ્ત્રને આધારે અગર કલ્પનાના બળે અપાયો હોત તો એની ધજીઓ ઉડાવાત, અને લાલાજી જેવા સામે કશું ન ચાલત. તિલકને પણ એ તપસ્વીએ જવાબ આપ્યો કે રાજનીતિનો ઇતિહાસ ખટપટ અને અસત્યનો ઈતિહાસ છે ખરો, પણ કાંઈ એ ઇતિહાસ ત્યાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy