SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. જૈન ધર્મ – જૈન સમાજ: હિંદુ ધર્મ – હિંદુ સમાજ હિંદુ સમાજ અને હિંદુ ધર્મ એનો અર્થ વૈદિક સમાજ અને વૈદિક ધર્મમાં જો હોય તો જૈન સમાજ અને જૈન ધર્મ તેમાં સમાવેશ પામી શકે નહિ, પણ વસ્તુતઃ તેનો એવો અર્થ છે જ નહિ. ટૂંકી દૃષ્ટિવાળા અને અણસમજુ લોકો ભલે વ્યવહારમાં ક્યારેક ક્યારેક એવો અર્થ માની લે અને તેથી જૈન લોકો એ અર્થથી ભડકી પોતાને જુદા કહે, પણ તે કાંઈ વાસ્તવિક સ્થિતિ નથી. અણસમજ કે ભ્રમથી જે ધારણાઓ બંધાય છે કે પ્રચલિત થાય છે તેને આધારે વસ્તુસ્થિતિનું નિરૂપણ થઈ શકે નહિ. ત્યારે હિંદુ સમાજ અને હિંદુ ધર્મનો ખરો, ઇતિહાસસિદ્ધ, પરંપરાપ્રાપ્ત શો અર્થ છે એ તપાસવું રહ્યું. હિંદુ સમાજનો અર્થ એટલો જ છે કે હિંદુ ધર્મને અનુસરે તે હિંદુ સમાજ અને હિંદુ ધર્મ તે કે જેના સ્થાપક તેમજ મૂળ પુરુષો આ દેશમાં–હિંદમાં થયા હોય, જેનાં અસલી તીર્થસ્થાનો આ જ દેશમાં હોય અને જેનાં મૂળ શાસ્ત્રો તેમજ પ્રમાણભૂત શાસ્ત્રો દેશની જૂની કે પછીની કોઈ પણ સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, દ્રાવિડ આદિ ભાષાઓમાં લખાયાં તેમજ વિચારાયાં હોય, અને તે જ કારણે જે ધર્મ અને ઉક્ત ભાષાઓ પવિત્ર તેમજ સર્વશ્રેષ્ઠ માનવાની ફરજ પડતી હોય. આ દૃષ્ટિએ જોતાં વૈદિક પરંપરાના બધા જ ધર્મો, તેમજ અવૈદિક પરંપરાના એટલે કે શ્રમણ આદિ પરંપરાઓના બધા જ ધર્મો, જેના પ્રવર્તકો, તીર્થો અને શાસ્ત્રોનાં મૂળ આ દેશમાં જ છે તે બધા, હિંદુ ધર્મમાં જ આવી જાય છે. એટલે બૌદ્ધ અને જૈન ધર્મ પણ હિંદુ ધર્મનો એક પેટા ભેદ છે, જેવી રીતે વૈદિક ધર્મ. આ જ કારણથી જ્યારે શ્રી. આનંદશંકર ધ્રુવે હિંદુ ધર્મની બાળપોથી લખી ત્યારે વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણે ધર્મો વિષે લખ્યું અને પછી હિંદુ વેદધર્મ એ નામનું સ્વતંત્ર પુસ્તક લખ્યું, જેમાં હિંદુ ધર્મની એક વેદ શાખાને લઈ ધર્મ નિરૂપ્યો. તેમનો વિચાર આ પછી હિંદુ બૌદ્ધ ધર્મ અને હિંદુ જેન ધર્મ એવા બે સ્વતંત્ર પુસ્તક લખવાનો હતો, જે અમલમાં આવી શક્યો નથી. ધ્રુવજીની દષ્ટિ બહુ વિચારપૂત છે. એને જેટલો ઇતિહાસનો આધાર છે તેટલો જ ધર્મની આંતરિક ને બાહ્ય બધી જ વસ્તુસ્થિતિનો પણ આધાર છે. તેથી હું આ જ અર્થ સ્વીકારું છું અને કોઈ પણ ખરો Jain Education International : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy