SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ વાત કહું છું. જે ધર્મ કે જે વ્યક્તિ પહેલાં પોતાના દોષ જોશે અને નિવારશે તે જ બીજા સામે સાચો દાવો રજૂ કરી શકશે અને તેમાં ફાવશે. મહાવીર આદિએ એ જ કરેલું. આપણે ભૂલ્યા એટલે તેજ ગુમાવ્યું. આ બધી ચર્ચાનો મારો ઉદ્દેશ એક જ છે કે આપણે પોતે આંતર-બાહ્ય તેજથી પુષ્ટ થવું અને બીજાને અનુકરણ કરવાની ફરજ પડે એટલું બળ કેળવવું. આ વિના કેવળ ધર્મની જુદાઈ માનવા–મનાવવાથી તમારું મુખ્ય પ્રયોજન નહિ સરે. ધર્મના મુખ્ય ધુરંધરો–ત્યાગીઓ અને પંડિતો, ધનવાનો અને અમલદારો—કયા એવા છે કે જેઓ વિદ્યા અને વ્યવહારમાં બ્રાહ્મણોની પગચંપી ન કરતા હોય? બ્રાહ્મણોએ અમુક વર્ગને અસ્પૃશ્ય માન્યા એટલે જૈનોએ પણ એ માન્યું. બીજી રીતે જુઓ. જૂના વખતમાં બ્રાહ્મણો પોતાને આર્ય કહેતા, પોતાના ધર્મને આર્યધર્મ અને દેશને આર્યાવર્ત કહેતા. જૈનોએ અને બૌદ્ધોએ પોતાના ધર્મને આર્ય કેમ કહ્યો? પોતાના આચાર્યોને અજજ કેમ કહ્યા? પોતાના ધર્મને સાડીપચીસ આર્યદેશમાં સીમિત કેમ રાખ્યો ? આ તો બીજા શબ્દમાં વૈદિક ધર્મને પોતાનો કરવા બરાબર થયું. જે ધર્મ પ્લેચ્છોને આર્ય કરવા નીકળેલો તેણે મ્લેચ્છો અને પોતા વચ્ચે એવું અંતર ઊભું કર્યું કે કદી આ જન્મમાં મ્લેચ્છોને તે અપનાવી શકે નહિ ! જો જેનધર્મ આવો જ રહેવાનો હોય અને તેને જ સમર્થન કરવાનું હોય તો ખુશીથી વૈદિક ધર્મથી પોતાને જુદો મનાવીને પણ તે એમ કરી શકે. આ બધું કહ્યા પછી હું એક વાત તો કહું જ છું કે હિંદુ મહાસભા કે બીજી તેવી ઘણી સંસ્થાઓ જે હિંદુ શબ્દને નામે બને તેટલા વધારે લોકોને પોતાના વાડામાં લઈ તેમનો સાથ મેળવી કાંઈ પણ કરવા માગે તેમાં હું કોઈ પણ જૈનને સભ્ય થવા સુધ્ધાંની સલાહ નથી આપતો. ફાળો આપવા તો નહિ જ, કેમકે આવી સંસ્થાઓ પહેલેથી જ ભોળા, અજ્ઞાની અને વાણિયાવૃત્તિવાળા લોકોની મદદ લઈ છેવટે બ્રાહ્મણો દ્વારા જ અને બ્રાહ્મણોના હિતમાં જ સંચાલિત થાય છે. એક વાર બ્રાહ્મણ સિવાયના બીજા વર્ગને હિંદુપણાનું ભૂત વળગ્યું, એનું અભિમાન પોષાયું એટલે એનો લાભ ભૂત વળગાડનાર વિદ્યાજીવી વર્ગ જ લે છે. તેથી જૈનોએ કહેવું જોઈએ કે અમે હિંદુ ધર્મ ને હિંદુ સમાજનું એક અંગ હોવા છતાં આવી સંસ્થાઓની જાતિવાદી નીતિમાં નથી માનતા, ઊલટું એની સામે છીએ. હિંદુ મહાસભા જેવી સંસ્થાઓમાં પહેલેથી જ મોવડી બ્રાહ્મણો અને તે પણ જાતિવાદી બ્રાહ્મણો રહ્યા છે. આપણે હિંદુ યુનિવર્સિટીને જોઈએ. એમાં ખરી રીતે હિંદુને નામે મળતા લાભોથી મુખ્યપણે બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણધર્મ પોષાય તેમજ સંસ્કારાય છે. જો એની પાછળ બ્રાહ્મણવૃત્તિ ન હોત તો ડૉ. ભગવાનદાસ, નરેન્દ્રદેવજી, સંપૂર્ણાનંદજી જેવા ક્યારેક તો વાઇસચેન્સલર થયા જ હોત; અને એમણે બીજા કોઈ પણ કરતાં કદાચ વધારે સારું કામ કર્યું હોત. એટલે હું જૈનધર્મ માટે એટલું જ કહું છું કે તે પોતાને હિંદુ ધર્મના એક અંગ લેખે હિંદુ ધર્મ કે આર્યધર્મ કહે તોપણ છેવટે તેને વિવેક રાખવો જ જોઈએ કે ક્યાં તેણે પોતાનું વ્યક્તિત્વ સાચવવું અને દીપાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy