SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સારી રીત એ છે કે કમાતા થયા પછી પરણવું; જુદા થવાની તૈયારી કરીને પરણવું. અપવાદરૂપે કોઈ કુટુંબમાં સુંદર મેળ હોય છે, પણ એમ ન હોય તો જુદાં થવું છતાં પ્રેમ ને સદ્ભાવ ન છોડવા એ દૃષ્ટિ છે. કુટુંબસંસ્થા એટલે કે સ્ત્રી-પુરુષના મિલનથી રચાતી સંસ્થા કદી નિર્મૂળ થાય કે ભાંગી પડે એવું મને લાગતું નથી. કુટુંબસંસ્થાનો આધાર ન રૂપ પર છે, ન સંપત્તિ પર, ન કુળની ખાનદાની ૫૨. એનો આધાર છે આદર, સહિષ્ણુતા અને વફાદારી ૫૨. વફાદારી એ મુખ્ય ગુણ છે. ને એની પરીક્ષા સંકટના સમયમાં થાય છે. વફાદારીનો સંપૂર્ણ નાશ કદી થતો નથી. સ્ત્રી-પુરુષના સખ્ય વિનાનું જીવન શક્ય જ નથી – ન ગૃહસ્થાશ્રમમાં, ન ત્યાગમાં. વ્યક્તિગત ને સામૂહિક જીવનમાં, સેવામય જીવનમાં ને ગૃહસ્થાશ્રમમાં બંનેનો સાથ આવશ્યક છે. અલબત્ત, પ્રશ્નો નવનવા ઊભા રહેવાના, સંસ્થા રૂપાંતર પામતી રહેવાની, પણ એનો અંત કદી આવી શકે નહિ, પુરુષ-સ્ત્રીને ચુસ્ત રીતે અલગ પાડવાથી બંનેમાં વિકૃતિઓ આવશે. બંનેના સખ્યમાં જ તેમનું તથા સમાજનું હિત છે અને એ રીતે બધો વ્યવહા૨ ગૃહસ્થાશ્રમને કેન્દ્રિત કરીને જ ચાલવો જોઈએ. પ્ર. ૨. :– લગ્ન પછી પત્નીએ પતિના વ્યક્તિત્વમાં પોતાના વ્યક્તિત્વનું વિલોપન કરવું જોઈએ એવી એક માન્યતા છે. એથી કુંટુંબજીવનમાં ઘર્ષણનું પ્રમાણ ઘટતું હશે, પરંતુ પત્નીના આત્મવિકાસ માટે તેમજ સમાજકલ્યાણ માટે એ ઇષ્ટ છે ? ઉ. :– વિલોપનનો અર્થ વિવેક અને સામર્થ્યનું વિલોપન એમ હું નથી કરતો. બંનેએ વૈતસી વૃત્તિ રાખવી જોઈએ. નદીનો પ્રવાહ આવતાં જેમ વેતસ-નેતર વળી જાય છે ને પ્રવાહ જતાં પાછું ટટ્ટાર થઈ જાય છે એમ એકની ઉગ્રતા વખતે બીજાએ કરવું જોઈએ. પ્રવાહનો પ્રતીકાર કરતાં વૃક્ષોને ઘણી વાર તૂટી જવું પડે છે, પણ નેતર ટકી રહે છે તે પ્રસંગોપાત્ત અહમ્નું વિલોપન કરવાથી; એટલે વિલોપન કરવાનું હોય તો તે અહમ્નું કરવું જોઈએ. બાકી પત્નીના વ્યક્તિત્વનો સંપૂર્ણ નાશ થાય એવું તો પતિ પણ ન ઇચ્છે; કારણ કે, પત્નીનું સામર્થ્ય તેની પોતાની શક્તિને, તેને વધા૨ના૨ હોય છે. ૫૨સ્પરના સહયોગથી શક્તિ વધે છે. સંઘર્ષ થાય ત્યારે એવી ખેંચ ન પકડવી કે તાર તૂટી જાય, પરંતુ એ વાત સાચી કે પત્નીએ પોતાનું સ્વમાન જાળવવું જોઈએ – તેનો વધ ન થવા દેવો જોઈએ. પોતાની વિશિષ્ટતાઓના ન વિલોપનમાં પત્નીનું કલ્યાણ છે, ન પતિનું, ન સમાજનું. પુરુષને સ્ત્રી પ્રત્યે જો પ્રેમ ન હોય, એનો વ્યવહા૨ દુરાચારી અને સ્ત્રી પ્રત્યે આદરવિહોણો હોય ત્યારે પણ પત્ની એની પાછળ પાછળ જ જાય અને એને સુધારી તો ન શકે પણ સાથે પોતાનું જીવન પણ નકામું બનાવી દે, તેમાં હું કોઈનું શ્રેય જોતો નથી. ઘણી વાર એમાં નિર્બળતાનું તત્ત્વ મુખ્ય હોય છે. એવા પ્રસંગોમાં તો સ્ત્રીએ પોતાની તાકાત વધારવી જોઈએ; કેટલીક વાર તો આર્થિક પરાધીનતાને કારણે સ્ત્રી પુરુષને છોડી શકતી નથી, પણ એ તો અનાથાશ્રમમાં રહેવા જેવું થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy