SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ભવિષ્યવાણી [૩૩૩ પહોંચી વળવાના અતિશય કામને લીધે ફરીથી તેમને કાઈ જવું પડ્યું. એક વર્ષ પછી ફરીથી મુસાફરીને સરંજામ તૈયાર કરવામાં આવ્યું. ફરીથી પણ હરારે કહ્યું કે આ વખતે પણ શાહ જઈ શકશે નહીં. મુસાફરી શરૂ થઈને ચેડા જ માઈલ પહોંચી હતી એટલામાં જ કોઈ પડોશી દેશના આક્રમણની સૂચના ગુપ્તચરેએ આપી અને તેમને તરત પાછા ફરવું પડયું. શાહ છે. હરારની અદ્દભુત શક્તિથી ઘણા પ્રભાવિત થયા. અને તેમને પિતાના મુખ્ય સલાહકાર બનાવ્યા. ઈજિપ્ત-ઈઝરાયેલ યુદ્ધથી માંડીને તેમણે અનેક ભવિષ્યવાણીએ કરી એ બધી સાચી નીવડી. આગામી દિવસો માટે પણ તેમણે ઘણું : મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે. યુગ૫રિવર્તનના સંબંધમાં તેમના વિચારો આ પ્રમાણે છે : “એવા કઈ દિવ્ય પુરુષને જન્મ ભારતવર્ષમાં થયો છે કે જે સન ૧૯૭૦ સુધી આધ્યાત્મિક ક્રાંતિનાં મૂળ કેઈ પણ જાતની લેકકીર્તની આશા વિના, અંદર ને અંદર જમાવતો રહેશે પરંતુ ત્યાર બાદ તેનું પ્રભુત્વ આખા એશિયા અને વિશ્વમાં છવાઈ જશે. તેના વિચારે એટલા બધા માનવતાવાદી અને દીર્ધદષ્ટિપૂર્ણ હશે કે સમસ્ત વિશ્વ તેનાં કથને અને વિચારો સાંભળવા લાચાર થશે. જ્યારે વિજ્ઞાન આખા વિશ્વમાંથી ધર્મ અને સંસ્કૃતિને નષ્ટ કરીને ખતમ કરી દેશે, ત્યારે તે ધાર્મિક ક્રાંતિની શરૂઆત કરશે અને ભારતવર્ષ એ બધાનું આગેવાન થશે. યુ.એન.ઓ. (સંયુક્ત રાષ્ટ્રસંઘ) અમેરિકામાંથી તૂટીને ભારતવર્ષમાં જતી રહેશે. ત્યાં તેનું નવેસરથી સંગઠન થશે. ભારતવર્ષ લાંબા સમય સુધી તેનું આગેવાન અને અધ્યક્ષ રહ્યા કરશે. સાંપ્રદાયિક ખેંચતાણે બિલકુલ બંધ થઈ જશે. જોકે શાસનસૂત્રે કેટલીક બીજી વ્યક્તિઓના હાંથમાં હશે પરંતુ એ બધા એક ધાર્મિક સંગઠનના આશ્રિત હશે. ભારતવર્ષમાં કેટલાંક વિલક્ષણ શાનું નિર્માણ કરશે. વિસાલચમાંથી કોઈ ગુપ્ત ખજાનો અને કીમતી સાંસ્કૃતિક જ્ઞાનને ગુપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy