SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬] વિજ્ઞાન અને ધર્મ ઇજનેર દ. લેસેસે પિતાના બે સાથી ઈજનેરે લીનત બે અને સુગલ બે ને સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે, “સદ્દગૃહસ્થ પૃથ્વી સપાટ છે એમ માનીને આપણે આ નહેર તૈયાર કરવાની છે.” સને ૧૮૭૭માં બ્રિટનની પાર્લામેન્ટે અગાઉના એક કાયદામાં એક સુધારે પસાર કર્યો. આ સુધારામાં એવું નકકી કરવામાં આવ્યું કે ભવિષ્યમાં રેલવે અને નહેરોના બાંધકામ માટેનાં એવા ઈજનેરેનાં ટેન્ડરે વિચારવામાં આવશે કે, “જેઓ પૃથ્વીના કહેવાતા વળાંક માટે કઈ પણ પ્રકારેને વાંધો લેતા ન હોય.” આ કાયદો હજુ આજે પણ બ્રિટનની ધારથી પર છે. ભૂગોળ અંગેની માન્યતા અહીં રજૂ કરવામાં આવી છે એનું કારણ એટલું જ છે કે, આજે જે માણસે વિજ્ઞાનની વાતેની ઘેરી અસર નીચે આવી ગયા છે તેમને એટલું જ બતાવવું છે કે, વિજ્ઞાન પણ ઘણા મતભેદોથી ભરપૂર છે. એ માત્ર સંશોધનવૃત્તિવાળું જ્ઞાન જ છે. એમાં ઘણું અધૂરું હોઈ શકે. એને પૂર્ણ માની લેવાની ભૂલ કરી લઈને ધર્મના તત્વજ્ઞાનની વાતને એક જ ધડાકે ફગાવી દેવાની ધૃષ્ટતા કરવી જોઈએ નહિ. એ કરતાં એને વિચારવાની તક આપવી જોઈ એ. જૂનાને તિરસ્કારવાની આજે એક ફેશન પડી છે. એનું જ આ પરિણામ છે. માટે હજી પણ એક વાત કહેવાની જરૂરી લાગે છે કે પૃથવીના સ્થિરત્વની વાતને એકદમ અવગણી નાંખવી ન જોઈ એ. કેસ્ટાઈલ એલ કાજે નામના ગણિત પણ પૃથ્વીના ભ્રમણની વાતને માન્ય નથી રાખી. અલિગઢની ભૂર્જ્યોતિષચક્ર વિવેચનસભાએ પૃથ્વીને ફરતી ન માનવાની તરફેણમાં ઘણું સાહિત્ય જગતને પીરસ્યું છે. ધી ફર્ટિયન લે સંસાયટી નામની એક સંસ્થા ન્યૂયોર્કમાં છે, જેના અનેક સભ્યો પૃથ્વીને ફરતી માનતા જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy