SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨] વિજ્ઞાન અને ધર્મ બાઈબલ, કુરાન આદિમાં પણ પૃથ્વીને સ્થિર કહી છે. ભારતના પ્રાચીન તિષાચાર્યો તથા ગણિતાચાર્યોએ પૃથ્વીના સ્થિરત્વ અંગે વિચાર કરે. તેમાં વરાહમિહિર, બ્રહ્મગુપ્ત, શ્રીધર, લલ્લ, ભાસ્કરાચાર્ય વગેરે પ્રસિદ્ધ ગણિતએ પૃથ્વીને સ્થિર કહી હતી. એમની વચમાં આર્યભટ્ટ (વિ. સં. ૧૩૩) વગેરે થયા તેમણે પૃથ્વીને ચર કહી. અને બે ય પક્ષે પોતપોતાના મતાનું નિરૂપણ કરીને પ્રતિમતની કડક ટીકા પણ કરી. તત્વાર્થકલેકવાર્તિક ચોથા અધ્યાયમાં પૃથ્વીના પરિભ્રમણ મતની કડક ટીકા કરવામાં આવી છે. હવે પાશ્ચાત્ય જગતનાં મન્ત જોઈ એ. પૂર્વે કહ્યા મુજબ બાઈબલ પૃથ્વીને સ્થિર માને છે. ઈ. સ. પૂર્વે ૨૦૦ વર્ષે થયેલે હીપારકસ પૃથ્વીને સ્થિર કહે, “અરરૂં અને ‘ટાલમી જેવા પ્રસિદ્ધ ગણિતનું પણ તે જ મન્તવ્ય હતું, ૧૬ મી સદીમાં સર્વ પ્રથમ કોપરનિકસે (Copernicus) પૃથ્વીને ચર કહી અને સૂર્યને સ્થિર કહ્યો. ગેલિલિઓએ પણ પૃથ્વીને ચર કહી. જેના કારણે તેને ઘણું યાતનાઓ ભોગવવી પડી હતી. પૂર્વે જણાવ્યું હતું તેમ પૃથ્વીને ચર માનવામાં જેટલી સમસ્યા ઊભી થઈ એ બધી ન્યૂટને શોધેલા ગુરુત્વાકર્ષણના સિદ્ધાને દૂર કરી પરંતુ હવે જ્યારે આઈન્સ્ટાઈને એ સિદ્ધાન્તને જ કુકરાવી દીધું છે ત્યારે ફરી તે સમસ્યાઓ જેમની તેમ ઊભી રહીને પૃથ્વીને ચર માનવાના પક્ષને નબળે બનાવી દે છે. વૈજ્ઞાનિકેનાં વિરોધી મન્ત” વિચારતાં જ આપણે ત્યાં ૪. એને વિષમતે ચૌઢ ભૂમિ તિઋતઃ – અથવ ૧૦–૮–૨ . પૃથ્વી વિતર્થ છે – દ ૧-૭૨–૯ ६. ताभिर्याति स्वयुक्तिमिः –ઋવેદ ૧-૫૦-૯ ૭, (૨) ઇવાં સ્થિર ધરિત્ર | – યજુર્વેદઃ ૧૪–૨૨ ૮. ૨-૨૨૩3. ૬, ૧, ૨-૪. ૨૦. રૂ-૧૨ સૂત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy