SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞોએ અણઆદિના સિદ્ધાંતો જ કેમ બતાવ્યા? [૨૬૧ પૂર્વે શારીરિક શક્તિ અજમાવવામાં આવતી, જ્યારે હવે વૈજ્ઞાનિક યુગમાં બુદ્ધિશક્તિ અજમાવાય છે. માનવકેન્દ્રિત યુદ્ધો હવે શસ્ત્ર કેન્દ્રિત કે ન્યુક્લિઅર–કેન્દ્રિત બન્યાં છે. આ મ્બ, હાઈડ્રોજનબેબ, પક્ષેપાસ્ત્ર વગેરે ન્યુક્લિઅર શાને કારણે સૈનિકે તથા યુદ્ધસામગ્રી ઉપરાન્ત નાગરિક વસતિને પણ વિનાશ થાય છે, પણ હવે એક નવા જ પ્રકારના યુદ્ધની સંભાવના ઊભી થઈ છે જે કેવળ લશ્કર અને રણક્ષેત્ર સુધી મર્યાદિત રહેશે. શહેર અને ગ્રામ વિસ્તારને કશું નુકસાન નહિ થાય. હવે મકાને નહિ તૂટી પડે, બધે કે મેટાં મેટાં કારખાનાઓ નહિ ભાંગી જાય. એ બધું તે અકબંધ રહીને શત્રુના હાથમાં જશે. મરી જશે માત્ર માન, રિબાઈ રિબાઈને, કદાચ એ ય જીવતા રહેશે બુદ્ધિભ્રમિત થઈને. કેટલાક પદાર્થો એવા છે, જેમને મને રસાયણ કહેવામાં આવે છે, એ લેતાં જ મનુષ્યની માનસી–સ્થિતિ બદલાઈ જાય છે. એવા એક પદાર્થનું નામ છે એલ. એસ. ડી. (લાઈસજક એસિડ). આની અસરથી માણસ અત્યન્ત ભયની સ્થિતિથી માંડીને જાતજાતની વિલક્ષણ સ્થિતિઓમાં ફસડાઈ પડે છે. બિલાડી ઉપર તેને પ્રયોગ કરતાં જ તે ઉંદરને જોઈને નાસવા લાગી હતી. નાગફણીમાંથી કાઢવામાં આવેલું “મુશ્કેલીન અને બિલાડીના ટોપમાંથી તૈયાર કરવામાં આવેલું ‘સિલેસિન નામનું રસાયણ પણ માણસના મન ઉપર ઊંડી અસરો પાથરી જાય છે. કેટલાંક રસાયણ શત્રુન્યને બેહોશી, ઊંઘ, લકવો, કામચલાઉ અંધતા, માનસિક અસમતુલા, પેટની બીમારી વગેરે રોગોમાં પટકે છે. આવા રાસાયણિક યુદ્ધનો મુખ્ય આધાર જ્ઞાનતંતુ ગેસ (નર્વગેસ) છે. જર્મનીની રાસાયણિક કંપનીના રસાયણશાસ્ત્રી ડો. જેમ્ફાર્ડ શ્રેડરે આ ગેસ શોધી કાઢ્યો હતો. એના પ્રભાવથી માણસ મૃત્યુ પામે છે. રશિયા અને અમેરિકા-બને ય રાસાયણિક ગેસના વિકાસમાં પિતપોતાની રીતે સતત પ્રયત્ન કરે છે. રશિયાને “ટબૂની ઉપર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy