SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨] વિજ્ઞાન અને ધર્મ વિઘટન ? જૈનાગોમાં આ પ્રશ્ન ઉપર સુંદર વિચાર કરવામાં આવે છે. વિજ્ઞાન પણ જેને માન્ય કરે તેને જે વૈજ્ઞાનિક કહેવામાં આવે તે આ વિચારને આપણે વૈજ્ઞાનિક કહીશું. આપણે હમણાં જ જોયું કે દરેક પરમાણુ એક વર્ણ, એક ગંધ, એક રસ, અને સ્નિગ્ધ-રૂક્ષમાંથી એક તથા શીત-ઉષ્ણમાંથી એક, એમ કુલ બે સ્પર્શ હોય છે. એક પરમાણુ બીજા પરમાણુ સાથે સ્કંધજનક સંગ કરે છે. તેમાં પરમાણમાં રહેલા વર્ણ, ગંધ કે રસને કઈ ઉપગ નથી, તેમ જ જ શીત કે ઉષ્ણ સ્પર્શને પણ ઉપયોગ નથી, કિન્તુ તેમાં જે રિનગ્ધ-કે રુક્ષ સ્પર્શ છે તેને જ ઉપગ છે. તદ્દન સ્વચ્છ આકાશમાં એકાએક વાદળાના સ્કર્ધનું છાઈ જવામાં, તદ્દન શાંત વાતાવરણમાં એકાએક વાવંટોળરૂપે વાયુના સ્કે. ધના વ્યાપી જવામાં અને પછી થોડી જ વારમાં એ બધું વિખારાઈ જવામાં કોઈ મનુષ્ય, કોઈ દેવ કે કોઈ ઈશ્વર કારણ નથી; કિન્તુ પરમાણુના સ્નિગ્ધ-રુક્ષ સ્પર્શેના સ્વાભાવિક રંગો અને વિયોગો જ કારણ છે. જૈન દર્શનકારેએ સ્કધનિર્માણની ખૂબ જ સમુચિત રાસાયણિક વ્યવસ્થા દેખાડી છે. આપણે કાળા વર્ણના અનંત પ્રકારે જેમ જેયા તેમ સ્નિગ્ધતા અને રુક્ષતા પણ એક ગુણથી લગાવીને અનંત ગુણવાળી હોઈ શકે. હવે કયે પરમાણુ કયા પરમાણુ સાથે સંયોગ કરી શકે તેની શરતે જોઈએ. (૧) એવા બે પરમાણુ લે, જે બંનેમાં સ્નિગ્ધતા–ગુણ છે. આ બે પરમાણુઓ સજાતી સ્પેશવાળા છે એટલે તેમની સ્નિગ્ધતા વચ્ચે ઓછામાં ઓછું બે ગુણનું અંતર હોય તે જ તે બે પરમાણુને સંગ થઈને એક આંધ બની શકે. દા. ત., એક પરમાણુમાં બે ગુણ સ્નિગ્ધતા છે તે બીજા પરમાણુમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy