SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માસ્તિકાય [૨૦૫. શકતી જ નથી. પાણીની સહાય ન મળે તો માછલી તરી શકતી જ નથી. જ્યારે પણ માછલીને તરવાની ગતિ કરવાની ઈચ્છા થાય છે ત્યારે તે ઇચ્છાને સફળ બનાવવા માટે પાણે તેને સહાય કરે છે. બીજો એક દાખલે જોઈએ. એન્જિનમાં દેડવાની ગતિ કરવાની શક્તિ છે, છતાં પણ તે પાટાની સહાય વિના તે દોડી શકતું જ નથી, જ્યારે પણ એન્જિન ગતિ કરવા લાગે ત્યારે તેને પાટાની. સહાય તે જોઈએ જ. આ જ રીતે ગતિ કરે છે તે જીવ કે પરમાણુ વગેરે અજીવ જ; પરંતુ તેમની ગતિમાં સહાય કરે છે ધર્મદ્રવ્ય. જેમ માછલીની તરવાની શક્તિ છતાં પાણી વિના તે તરી ન શકે; પાટા વિના જેમ એન્જિન ગતિ કરી ન શકે તેમ જે જગતમાં ધર્મદ્રવ્ય ન હોય તે જીવ કે અજીવમાં ગતિ કરવાની શક્તિ હોવા છતાં તે ગતિ ન જ કરી શકે. એટલે જીવાજીવની ગતિમાં, જીવના જોલવામાં, આ પટપટાવવામાં, મનની પણ ગતિમાં સર્વત્ર આ ધર્મદ્રવ્ય સહાયક બને છે. રે! શરીરના રુધિરાભિસરણની ગતિમાં અને શ્વાસોચ્છવાસ લેવામાં પણ આ ધર્મદ્રવ્યની જ સહાય છે. + જે ધર્મદ્રવ્ય ન હોય તે આમાંની કેઈ પણ ગતિ જગતમાં ન હેત. સર્વજ્ઞ સઘળું સર્વદા સ્થિર જ હેત. આ ધર્મ દ્રવ્ય લેકાકાશમાં (લેકાકાશ એટલે શું? તે આગળ આવતાં આકાશાસ્તિકાય દ્રવ્યના વિવેચનમાં જણાવ્યું છે.) સર્વત્ર વ્યાપ્ત છે. એવું કેઈ સૂફમાતિસૂક્ષ્મ પણ સ્થાન નથી જ્યાં આ ધર્મદ્રવ્યનું અસ્તિત્વ ન હોય, દીવાલની અંદર હિમાલયના પહાડમાં પણ સર્વત્ર + : ધર્મચિહ્યાણ વીવાળું ગામ-મન-માસુખેત. मणजोगा--वयजोगा-कायजोगा । जे यावन्ने तहप्पगास चला भाला सव्वे ते धम्मस्थिकाए पवत्तति ।। ભગ. શ. ૧૩. ઉ. ૪.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy