SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેતલોકમાંથી આવેલા આત્માઓની વાતો [૭] રેયલ અકાદમીના વિદ્યાથીઓઃ ૧૮૫૬માં પણ “કરાર” મુજબ મરનારે દેખા દીધાને બનાવ બન્યું છે. લંડનમાં રયલ અકાદમીના કેટલાક કલાકાર વિદ્યાર્થીઓ સાંજના સમયે હંમેશાં “મૃત્યુ પછીના જીવન એ વિષય પર રસમય ચર્ચાઓ કરતા. મોટા ભાગના યુવાન કલાકારે મુક્ત ચિંતક હતા અને મૃત્યુ પછી આત્માની અમરતા અંગેની માન્યતાના ખૂબ વિરોધીઓ હતા. પણ કલાકારો પૈકીને એક તે આત્માની અજર-અમરતાને પ્રખર હિમાયતી હતું, અને પિતાના સાથીદારોના ભૌતિક વિચારેથી એને એટલે બધે આઘાત લાગે કે એણે સાથીદારોમાંથી જેનું પ્રથમ મરણ નીપજે એણે પરલેકમાંથી પાછા ફરીને પિતાના મંતવ્યની સચ્ચાઈ પુરવાર કરવી એવી સૂચના કરી. ટૂંક સમયમાં સાથીદારો પૈકી એક માંદગીના કારણે ઘેર ગયે. થોડા દિવસમાં રાત્રે બારેક વિદ્યાર્થીઓ સગડી આગળ બેમીને ગપ્પાં મારતા હતા. એવામાં એક વિદ્યાથી ચકીને બૂમ પાડી ઊઠ્યો. જ્યાં આગળ આ વિદ્યાર્થીની નજર ચેટી રહી હતી ત્યાં જોતાં બધાને એક ધૂંધળી છાયા દેખાવા લાગી. આ છાયા માંદગીના કારણે પિતાને ઘેર ગયેલ પેલા વિદ્યાર્થીની હતી. છાયા થડા સમયમાં વિલીન થઈ ગઈ અને બીજા દિવસે વિદ્યાથીના અવસાનના ખબર આવ્યા. [૮] બેસુલ અને તેને મિત્ર પણ આવા “કરારની સૌથી વધુ રોમાંચક વાત ૧૭૨૬માં “જર્નલ ૬ ટ્રે નાઉસમાં બેગૂલ નામના એક ગૃહસ્થ વર્ણવેલી છે. ૧૫ વર્ષની વયે પિતે જ્યારે કીન ખાતે અભ્યાસ કરતા હતા ત્યારે એને ડેસન ટેનિસ નામના એક વિદ્યાર્થી સાથે આ કરાર થયેલ. ૧૭૯૭ના જુલાઈમાં એક દિવસ બેઝુલ પિતાને એક મિત્રના વાડામાં ઘાસની ગંજી ગોઠવવામાં મદદ કરી રહ્યો હતો ત્યારે પિતાના મિત્રનું ભૂત અચાનક એને દેખાયું. ભૂતે એને હાથ પકડ્યો અને બધાથી દૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy