SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦] વિજ્ઞાન અને ધર્મ ગ્ર–કુરાન અને બાઈબલની શ્રદ્ધાને પણ પુનર્જન્મના કિસ્સાઓની પસાર થતી વણઝારે હલબલાવી મૂકી છે તે વખતે ભગવાન જિનેશ્વરોનાં આગમવચને પરિપૂર્ણ સત્યસ્વરૂપમાં બહાર આવે છે. આર્યોની મહાસંસ્કૃતિને ઉથલાવી નાખવા માટે જેમણે કમર કસી છે એ દંભી ધર્મપ્રચારકોને આર્યધર્મના રક્ષકોએ સાફ સાફ શબ્દોમાં સુણાવી દેવું જોઈએ કે, “તમે તમારું ઘર સંભાળીને બેસી રહે. બીજાઓને વિનાશ કરવાના કૃર મનસુબાઓને શાંત પાડે, તમે યોગ્ય રીતે જીવ અને સહુને જીવવા દો.” મોટામાં મેટી કમનસીબીની તે વાત એ છે કે, આપણે જ આપણી જાતને “શકેરું લઈને ભીખ માગવા ગ્ય” માની લીધી છે. જાજરમાન મહાસંસ્કૃતિની શ્રીમંતાઈ વારસામાં મળી હોવા છતાં, મહાસત્યનાં પ્રતિપાદક શાસ્ત્રો આપણું જ પાસે હોવા છતાં, જીવનના પાયાના પ્રશ્નનો જેવા સુખદુઃખનું મૌલિક તત્વજ્ઞાન આપણું જીવનમાં વણાયેલું હોવા છતાં પશ્ચિમના દેશોની અંધભક્તિએ આપણને દીનહીન અને ક્ષીણ બનાવ્યા. અફસ! આપણે દુનિયાને ઓળખી, પણ જાતને જ વીસરી ગયા. ખેર, હજી જાગીએ. મેડું તે થયું જ છે છતાં “ઘણું બધું મડું નથી થયું એમ સમજીને બેઠા થઈ જઈએ. સિંહ સૂતે છે ત્યાં સુધી જ ઉંદરોનું જેર છે. એના સળવળાટમાં જ લાખે ઉંદરો ઊભી પૂંછડીએ નાસભાગ કરે. મઈ છીએ તે મર્દ કેમ ન બનીએ? સત્યવાદી શાસ્ત્રો આપણી પાસે જ છે, તો એ સત્યને શિર કેમ ન ઝુકાવીએ? શા માટે આત્માના એકાન્ત ક્ષણિકત્વની વિચારણા પણ કરીએ? શા માટે પરાયા જ્ઞાનના રવાડે ચડીને મગજને કેહાવી નાખીએ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy