SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ આઠ દૃષ્ટિની સક્ઝાય પ્રવૃત્તિ કે નિવૃત્તિ ગુણ કે દોષને કરનારી નથી. પરંતુ જો તેમાં મન ભળે, મનની રસિકતા આવે, મનના શુભ-અશુભ અધ્યવસાય મળે, તો જ તે ભોગપ્રવૃત્તિ વ્યવહેતુ થાય છે. “મનની રસિકતા” એ જ મુખ્ય બંધહેતુ છે. ભોગપ્રવૃત્તિ ન હોય છતાં મનની રસિકતા હોય તો કર્મબંધ થાય જ છે. જેમ તંદુલીયો મસ્ય મોટા મલ્યની જેમ આહારપ્રવૃત્તિ કરતો નથી, ફક્ત મનથી જ ઇચ્છે છે. છતાં મૃત્યુ પામીને નરકે જાય છે. પ્રસન્નચંદ્ર મુનિ કાઉસ્સગ્ન મુદ્રામાં મનથી જ યુદ્ધ કરે છે છતાં નરયોગ્ય કર્મ બાંધે છે. અને તીર્થંકરાદિ મહાત્માઓ ઘરમાં વિવાહિત જીવનમાં વર્તે છે. ભરત મહારાજા આરીસાભુવનમાં છે. મરૂદેવા માતા હાથી ઉપર છે. પૃથ્વીચંદ્ર રાજા રાજગાદી ઉપર છે. ગુણસાગર લગ્નક્રિયામાં છે. છતાં મનથી અલિપ્ત છે. તેથી આ સર્વની આ પ્રવૃત્તિ વ્યવહેતુ થતી નથી. તેથી કર્મબંધ કે કર્મક્ષયનું પ્રધાનતર કારણ મનના પરિણામ જ છે. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે - तह कायपाठणो ण पुण, चित्तमहिकिच्च बोहिसत्त त्ति। હૉતિ તદ ભાવપIો, ગાયનો સુદ્ધાગો યોગશતક ગાથા ll૮૮ श्रुतधर्मे मनो नित्यं, कायस्त्वस्यान्यचेष्टिते। મતત્ત્વાક્ષેપનાન મોટા મવહેતવઃ | યોગદૃષ્ટિ છે ૨૬૪ આ પ્રમાણે શ્રતધર્મમાં જ મન લીન હોવાથી અને અન્ય ચેષ્ટાઓમાં માત્ર કાયાથી જ જોડાતા હોવાથી તથા ચિત્તને આકર્ષે રાખે એવું વિશિષ્ટ જ્ઞાન હોવાથી આ મહાત્માઓને ભોગસેવન એ ભવહેતુ બનતું નથી. | ૭ માયાપાણી રે જાણી તેહને, બંધી જાય અડોલ ! સાચું જાણી રે તે બીતો રહે, ન ચળે ડામાડોળ | | | ધન ધનO . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy