SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ ડૉ. રમણલાલ ચી. શાહનો પરિચય કરાવ્યો હતો. ડૉ. રમણલાલે જણાવ્યું કે : “જૈન ગૂર્જર કવિઓની સંશોધિત-સંવર્ધિત આવૃત્તિ થાય એ મારું પણ સ્વપ્ન હતું. અને એ સ્વપ્ન આજે સાકાર થતું જોઉં છું એ મારે માટે અતિ હર્ષ અને ઉલ્લાસનો પ્રસંગ છે. જૈન ગૂર્જર કવિઓ'નો આશ્રય લીધા વિના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું કામ કરવામાં ડગલું પણ માંડી ન શકાય એવી સ્થિતિ હતી. પીએચ.ડી.નું કામ ચાલતું હતું ત્યારે મધ્યકાલીન સાહિત્યની સામગ્રી અંગે જે કેટલીક મુશ્કેલીઓ અનુભવી ત્યારે જ આ ગ્રંથના નવસંસ્કરણનો વિચાર આવેલો. મૂળ ગ્રંથોનું પ્રકાશન જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સે કરેલું પણ નવી આવૃત્તિ માટે એ સંસ્થા પાસે મોટું ખર્ચ કરવાની ક્ષમતા નહોતી. એટલે હું જ્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંસ્થાના મંત્રીપદે હતો ત્યારે આ આખી યોજના સંસ્થા પાસે મંજૂર કરાવી. ગ્રંથના ત્રણ ભાગ પ્રકાશિત થયા પછી વિરોધ પણ થયેલો કે આ ખર્ચાળ પ્રવૃત્તિ છે, અને થોડાકને જ એ ઉપયોગી થાય તેમ છે. ત્યારે મેં એકલે હાથે એનો પ્રતિકાર કરેલો. તેથી જ આજે મારું સ્વપ્ન સાકાર થતું લાગ્યાનો આનંદ છે. શ્રી મોહનલાલ દેશાઈનું આ કામ અદ્ભુત છે. ગાંઠના પૈસા ખર્ચીને, તેઓ જ્યાં જ્યાં ભંડારો હોય ત્યાં પહોંચી જતા ને હસ્તપ્રતોની નકલ કરાવી લેતા. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતીની ૨૦ લાખ જેટલી હસ્તપ્રતો ૪૦૦ ભંડારોમાં સચવાયેલી છે. જૈનો પાસે પોતાની હસ્તપ્રતોની જાળવણીની આગવી વ્યવસ્થા હતી, જેને લીધે આ જૈન સાહિત્ય સચવાયું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસને નવેસરથી લખવાની ફરજ પાડે એટલું મોટું કામ મોહનભાઈને હાથે થયું છે.” ગ્રંથવિમોચન અને વક્તવ્ય : શ્રી કે. કા. શાસ્ત્રી : તે પછી વિદ્વર્ય શ્રી કેશવરામ કા. શાસ્ત્રીજીના વરદ હસ્તે જૈન ગૂર્જર કવિઓ (ભાગ ૮-૯-૧૦)ની વિમોચનવિધિ કરવામાં આવી હતી. તે પછી ઉદ્બોધન કરતાં એમણે કહ્યું કે “મારી ત્રીજી પેઢીના અંતેવાસી જયંત કોઠારીના મહાન જ્ઞાનયજ્ઞને નિમિત્તે અહીં ઉપસ્થિત થવાની તક મળી છે તેને મારું સદ્ભાગ્ય ગણું છું.' તે પછી એમણે મહાવી૨ જૈન વિદ્યાલય સંસ્થા સાથેનાં ૭૫ વર્ષ પહેલાંનાં સ્મરણોને તાજાં કર્યાં હતાં. ૧૭ વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા પસાર કરી તેઓ ૧૯૨૨માં મુંબઈ ગયા ત્યારે શિક્ષક તરીકે ગોઠવાવાના આશયે આ સંસ્થામાં ચારેક દિવસ રહેલા. પણ મુંબઈની હવા માફક ન આવતાં માંગરોળ પાછા ફરેલા. ત્યાં એમને હાઈસ્કૂલના અને પાઠશાળાના અધ્યાપનકાર્યમાં જોડાવાની તક મળી. એમાં ત્યાંનાં મંજુબેનની ઇચ્છાથી ‘સિદ્ધહેમ’ના અધ્યાપનકાર્યની તક પણ મળી. માંગરોળમાં વૈષ્ણવો-જૈનો વચ્ચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy