SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત Bી ૩૩૩ ૩૯ | આ રીતે તિર્યંચ પંચેન્દ્રિયમાં અવગાહના, સ્થિતિ, વર્ણાદિ વીસ બોલ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, આ નવ ઉપયોગ, કુલ ૩૧ બોલના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૩૧૪૩=૯૩ આલાપક થાય છે. પ્રશ્ન-૩૮ઃ જઘન્યાદિ અવગાહનાવાળા મનુષ્યોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા હોય છે? ઉત્તર- જઘન્ય અવગાહનાવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે. જઘન્ય અવગાહનાવાળો એકમનુષ્ય, જઘન્ય અવગાહનાવાળા બીજા મનુષ્યોથી દ્રવ્યથી, પ્રદેશથી અને અવગાહનાથી તુલ્ય છે, સ્થિતિથી તિટ્ટાણવડિયા છે, (જઘન્ય અવગાહના યુગલિકોને હોતી નથી. મનુષ્યોમાં યુગલિકોની અપેક્ષાએ જ સ્થિતિથી ચૌઠાણવડિયા થાય છે, તેથી જે-જે બોલ યુગલિકોમાં ન હોય, ત્યાં સ્થિતિથી તિટ્ટાણવડિયા થાય છે.) વર્ણાદિ વીસ બોલ તથા ત્રણ જ્ઞાન, બે અજ્ઞાન, ત્રણ દર્શન, આ આઠ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. મનુષ્યોમાં અવધિજ્ઞાન સહિત જીવોની ઉત્પત્તિ થાય છે તેથી જઘન્ય અવગાહનામાંઅવધિજ્ઞાન હોય છે પરંતુ કોઈ પણ જીવ વિર્ભાગજ્ઞાન સહિત મનુષ્યમાં ઉત્પન્ન થતો નથી તેથી જઘન્ય અવગાહનામાંવિર્ભાગજ્ઞાન નથી. જઘન્ય અવગાહના અપર્યાપ્તાવસ્થામાં હોવાથી તેમાં મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન હોતું નથી. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળો એક મનુષ્ય, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બીજા મનુષ્યોથી દ્રવ્યથી, પ્રદેશથી, અવગાહનાથી તુલ્ય છે, સ્થિતિની અપેક્ષાએ એકઠાણવડિયા છે(મનુષ્યોમાં ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની અવગાહના દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રના યુગલિકોને જ હોય છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તન્યૂનત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે તેથી તેમાં અસંખ્યાતમો ભાગ તે એક જ સ્થાનથી ન્યૂનાધિકતા થાય છે), વર્ણાદિ વીસ બોલતથા બેજ્ઞાન, બેઅજ્ઞાન, બેદર્શન, આ છઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. (ઉત્કૃષ્ટ અવગાહના યુગલિકોમાં હોવાથી અવધિજ્ઞાન અને અવધિદર્શન આદિ નથી) મધ્યમ અવગાહનાવાળા મનુષ્યોમાં અનંત પર્યાયો છે. મધ્યમ અવગાહનાવાળો એકમનુષ્ય, મધ્યમ અવગાહનાવાળા બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી, સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલતથા ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, આ દશ ઉપયોગથી છઠ્ઠાણવડિયા અને કેવળજ્ઞાન, કેવળ દર્શનથી તુલ્ય છે(મધ્યમ અવગાહનાવાળા મનુષ્યોમાં સર્વ ઉપયોગ હોય શકે છે) પ્રશ્ન-૩૯ઃ જઘન્યાદિ સ્થિતિવાળા મનુષ્યોના કેટલા પર્યાયો છે? તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy