SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ (સંસારસમુદ્રના પારને પામેલા, દુઃખરૂપી દાવાનળને શમાવવા નીરસમાન, મોક્ષરૂપી આમ્રવૃક્ષને વિષે શકરાજસમા, સુવર્ણ જેવા ગૌરશરીરવાળા શ્રી વીરજિનેશ્વરને નમસ્કાર કરીને અલ્પમતિવાળા સમસ્ત ભવ્યોના અનુગ્રહ માટે સંક્ષેપથી સમ્યત્વનું સ્વરૂપ કહીશ, તે તમે સાંભળો.) * પરમાત્માનું પહેલું વિશેષણ છે : પત્તમવMવતીરં-પ્રાપ્ત કર્યો છે ભવરૂપી અર્ણવ(સમુદ્ર)ના તીર એટલે કિનારાને જેમણે .... પરમાત્મા સંસારસમુદ્રથી તારનાર છે એમ જાણ્યા પછી આપણને તરવાની ભાવના જાગી છે ખરી? આપણે આ સંસારમાં ડૂબેલા છીએ અને ભગવાન આ સંસારને પેલે પાર રહેલા છે એવું જાણીને હે ભગવન્! મને આ સંસારસમુદ્રથી બહાર કાઢો' એવું હૈયામાંથી જાગ્યા વિના આ દર્શનશુદ્ધિપ્રકરણ કામ નહિ લાગે. સમ્યગ્દર્શન ભવ તરવાની ભાવનામાંથી પ્રગટે છે, એ સિવાય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ થતી નથી તો તેની શુદ્ધિની શી વાત કરવી? આપણે ભગવાન પાસે જઈને શી યાચના – પ્રાર્થના કરીએ ? સુખી બનવાની કે સાધુ બનવાની ? નાના છોકરાને પણ ભગવાન પાસે જઈને શું બોલવાનું શીખવો? ભગવાન મારું ભલું કરજે” એમ ? કે “ભગવાન મને ભલો કરજે” એમ ? આપણું સારું થાય અને આપણે સારા થઈએ એ બેમાં ફરક પડે ને ? સ. શું ફરક પડે ? આપણો રોગ જાય તો આપણું સારું થયું એમ સમજવું અને આપણાં રોગાદિનાં દુઃખ ન જવા છતાં એ દુઃખ દુઃખરૂપ ન લાગે તો સમજવું કે આપણે સારા થયા. સુખની જરૂર હોય ને મળી જાય-તે આપણું સારું થયું અને સુખની જરૂર જ ન પડે, જાય તો ય તેની અસર ન હોય – તે આપણે સારા થયા. આજે આપણે સંસારમાં રહીને સારા કામ કરવાં છે પણ સંસારમાંથી ભાગી જઈને સારા નથી થવું ને ? ભગવાનની સ્તવના કરતી વખતે આપણે ભવની વચ્ચે રહ્યા છીએ એવું યાદ આવે તો સાચો ભાવ આવ્યા વિના નહિ રહે. સાચા હૈયાથી જે ભગવાન પાસે ભવનિસ્તાર માંગવામાં આવે તો ભગવાન કૃપા કર્યા વિના ન રહે. ભવનો ત્યાગ કરવાની ઈચ્છાસ્વરૂપ જિહાસા પ્રગટ થાય પછી જિજ્ઞાસા જાગે, પછી સમ્યત્વ પ્રાપ્ત થાય. “ખવોä ૩:હિના, થમી છેઃ ચાતુ?’ આવી ઈચ્છાને જિહાસા (હાતુમિચ્છા) કહેવાય છે. આપણને જિહાસા જાગી છે? પૂરમાં તણાતા જીવોને કોઈ ઉપરથી અનાજનાં પેકેટ આપે અને કોઈ દોરડું આપે બહાર નીકળવા માટે, તો શું કરે ? પેકેટ ઉપાડે કે દોરડું ઝાલે? ભગવાનની ભક્તિ કરવાથી ધન વગેરે સુખનાં સાધનો પણ મળે અને મોક્ષ પણ મળે, તમને શું જોઈએ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy