SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. મદદ * ક્રોધના કારણે આપણે જ્ઞાનથી દૂર રહીએ છીએ. જ્ઞાન પામવા માટે ક્રોધ ટાળવો પડશે. આ રીતે ક્રોધ ટાળીને જ્ઞાન મળ્યા પછી એ જ્ઞાનનો મદ આવવાની સંભાવના છે, આથી ત્રીજો દોષ મદ બતાવ્યો છે. જાતિ, કુળ, રૂપ, બળ, શ્રુત આદિ સંબંધી આઠ પ્રકારનો મદ છે. તીર્થંકર પરમાત્મામાં જાત્યાદિ આઠે ય ગુણો પરાકાષ્ઠાને પામેલા હોવા છતાં પરમાત્મામાં મદનો છાંટો પણ ન હોય. ખુદ ભગવાન પણ જે સર્વોત્કૃષ્ટ ગુણના ભાજન હોવા છતાં મદ ન કરે તો આપણે કયા કારણસર મદ કરીએ છીએ? * ભગવાનના સિદ્ધાન્તનો અપલાપ કરનારી કલમો જે બંધારણમાં હોય તે બંધારણના ટ્રસ્ટી થવામાં પાપ છે. ટ્રસ્ટી થવામાં તીર્થંકર નામકર્મ બંધાય તે વાત સાચી, પણ જેને ભગવાનના વચન પર ટ્રસ્ટ(વિશ્વાસ) હોય તેને માટે એ વાત છે. * વિશાળદષ્ટિ રાખવાની ના નહિ પણ એ દષ્ટિ કોને કહેવાય ? વિશાળને જેવું તે વિશાળદષ્ટિ. સંકુચિતને વિશાળ તરીકે જોવું તે વિશાળદષ્ટિ નહિ. મોક્ષ વિશાળ છે, તેને જોનારી દષ્ટિ તે વિશાળ દષ્ટિ. સંસારનું સુખ સંકુચિત છે તેને વિશાળ માનીને જોવું તેનું નામ સંકુચિત દષ્ટિ. * આપણને સુખ ગમે કે ધર્મ? મહાપુરુષોએ ધર્મની સાધના માટે જે પુરુષાર્થ કર્યો છે, તે જોતાં લાગે કે સાધુપણાની અનુકૂળતા લેવાનો અધિકાર પણ એ મહાપુરુષોને હતો. આપણે તો એ રીતે જીવીએ છીએ કે આપણને આહાર લેવાનો પણ અધિકાર નથી, છતાં આપણે મજેથી સમયસર ખાવા બેસી જઈએ છીએ ને? * શેઠાઈ કરીને આવેલા પણ એટલું યાદ રાખે કે શેઠાઈ મૂકીને આવ્યા છીએ તો તે અહીં શેઠાઈ કરી શકે ખરા ? સુખ ભોગવીને આવેલા પણ એ સુખ છોડીને આવ્યા છે એ ભૂલી જાય છે, આથી જ સુખ ભોગવવાની પ્રવૃત્તિ પાછી શરૂ કરે છે. મળેલી સામગ્રીનો ઓછા-વધતા પ્રમાણમાં ત્યાગ કરીએ તો સમજવું કે શરીર પાસે કામ લેવું છે. શરીર કામ નથી કરતું આ ફરિયાદ કરવાનો અધિકાર તેને છે કે જેને શરીર પાસે કામ લેવાની વૃત્તિ છે. નાનામાં નાનું પણ કામ શરીરની અનુકૂળતા સાચવીને કરવાની વૃત્તિ હોય તેવાઓ શરીર પાસેથી કામ ક્યાંથી લઈ શકે ? * પુણ્યયોગે મળેલી સારામાં સારી ચીજને લઈને અહંકાર કરવો કે મારા જેવું કોઈ છે નહિ – તેનું નામ મદ. આવો અહંકાર કરવાથી આપણો કોઈ જ ઉદ્દેશ સિદ્ધ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૪૫ Jain-Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy