SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ * અરિહંત થવું એ આપણા હાથની વાત નથી, જ્યારે સિદ્ધ થવું એ તો આપણા હાથની વાત છે. આથી આપણા માટે સિદ્ધપદ વધારે મહત્ત્વનું છે. અરિહંત પરમાત્માએ સિદ્ધપદ બતાવ્યું માટે તેઓ મહાન છે, એની ના નથી. પરંતુ અરિહંત પરમાત્મા અરિહંત થયા તે સિદ્ધ થવાની ભાવનામાંથી થયા. અરિહંતો માટે પણ સિદ્ધપદ ઉપાદેય છે. જે સિદ્ધપદ ન હોત તો અરિહંત અરિહંત ન થાત. સાધ્ય તરીકે સિદ્ધપદ હોવાના કારણે જ બાકીનાં બધાં પદો સાર્થક છે. બધા જીવોને શાસનના રસિયા બનાવી સિદ્ધપદે પહોંચાડવાની ભાવનાથી જ અરિહંતો અરિહંત થયા છે. એક અવસર્પિણીમાં અરિહંતો ચોવીસ જ થાય છે જ્યારે સિદ્ધપદે તો અસંખ્યાત આત્માઓ જાય છે. આથી અરિહંત થવા માટે મહેનત નથી કરવી, સિદ્ધ થવા માટે મહેનત કરવી છે. અરિહંત થવાય તો સારી વાત છે, પણ એ આપણા પુરુષાર્થનો વિષય નથી. આચાર્યપદ : ઉપાધ્યાયપદ : | * ભવનો ભય પેદા નહીં થાય ત્યાં સુધી અરિહન્તાદિના શરણે જવાનું શક્ય નહિ બને. આ સંસારમાં ગમે તેટલો પુણ્યનો ઉદય હોય તોપણ એમાંથી એક પણ ચીજ સંસારથી તારનારી નથી એવું જ્યારે લાગે ત્યારે અરિહન્તાદિના શરણે જવાનું શક્ય બને. * શરીર સારું હોય તો આરાધના થાય એવું નહીં; શરીરની મમતા ઊતરે, શરીર ખરાબ લાગે તો આરાધના સારી થાય. શરીર સારું રહે એ આપણા હાથની વાત નથી, શરીરથી કામ લઈ લેવું એ આપણા હાથની વાત છે. * તીર્થંકર પરમાત્માની વાત જચે, મોક્ષની ઈચ્છા પેદા થાય ત્યારે ગુરુની શોધમાં નીકળે. આજે તમને ગુરુની જરૂર છે ખરી ? તમે ગુરુને લાવો છો તે જ્ઞાન માટે કે આશીર્વાદ માટે ? સ. તમે આશીર્વાદ તો આપો છો ને? આશીર્વાદનો અર્થ તમે જે કરો છો એ અમારા મનમાં નથી અને અમારા મનમાં જે છે એ તમને ગમે એવો નથી. તમારે સંસારમાં સુખી થવું છે અને અમારે સંસાર છોડાવવો છે – ક્યાંથી મેળ ખાય ? * તીર્થંકર પરમાત્મા જ્યારે નિર્વાણપદે પહોંચે છે ત્યારે શાસનની રક્ષાની જવાબદારી આચાર્યભગવન્તના શિરે હોય છે. મોક્ષમાર્ગની સાધના કરતી વખતે આપણે ૨૮૨ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy