SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ આ જ્ઞાન જેવું છે એવું જ્ઞાન વિષયો વિષજેવા છે – એ વિષયમાં હોય તો સમજવું કે સમ્યમ્ જ્ઞાન આવ્યું. શરીરને આપણે જે રીતે સાચવીએ છીએ, આગળ વધીને કપડાને જે રીતે સાચવીએ છીએ તે રીતે આત્માને નથી જ સાચવતા. શરીર-કપડા જેટલી આત્માની ચિંતા નથી. આ જ આપણી અજ્ઞાનદશાને સૂચવે છે. આત્માને માનનારની જવાબદારી ઘણી છે. શરીર માધ્યમ છે એની ના નહિ, પણ માધ્યમને સાચવવાનું કે સાધ્યને ? ઝાડું એ માધ્યમ ખરું પણ ઝાડું સાચવવાનું કે ઘર સાચવવાનું ? સાધન પણ સાધનની રીતે સાચવવાનું હોય. જેના માટે સાચવીએ એનો જ નાશ થાય-એ ચાલે ખરું ? આજે આપણે ધર્મ અશરીરી થવા માટે કરીએ છીએ કે સુશરીરી થવા ? શરીર સારું રાખવા ધર્મ નથી, અશરીરી થવા માટે ધર્મ છે. શરીર કરતાં આત્માને જુદો માનવો તેનું નામ વસ્તુસ્વરૂપનો બોધ. શ્રી વીતરાગસ્તોત્રમાં પણ જણાવ્યું છે કે પ્રપન્ની વસ્તુતતુ સત્ વસ્તુને વસ્તુરૂપે જેઓ સ્વીકારે તેઓ જ હે ભગવન્! આપના શાસનને પામેલા છે. વસ્તુના સ્વભાવને જાણવો તે સમ્યમ્ જ્ઞાન, વસ્તુના વિભાવને જાણવો તે સમ્યમ્ જ્ઞાન નહિ. આજે આપણે ગમે તેવા પંડિત પણ હોઈએ, બીજાને સમજાવતા પણ હોઈએ છતાં સમ્યજ્ઞાની નથી, અજ્ઞાની જ છીએ. કારણ કે વિષયોને વિષરૂપે જાણતા નથી. વિષયોને વિષ કે અગ્નિતુલ્ય માને તે તેને ગ્રહણ કરવા પ્રયત્ન કરે ખરા ? અગ્નિની સાથે કામ લેવું પડે તોય સાવચેતીપૂર્વક કામ લે ને ? વિષયોનો સ્વભાવ જે જાણે તે વિષયમાં રાગી ન બને. વિષયો ક્ષણિક છે, નાશ પામવાના સ્વભાવવાળા છે, પાપ કરાવે એવા છે... ઈત્યાદિ વિચારવું તે સ્વભાવનું જ્ઞાન. જ્યારે સારાનરસાપણું એ તો વિષયનો વિભાગ છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાયથી રહિત એવો જે વસ્તુને અનુરૂપ વસ્તુનો બોધ તેને સમ્યજ્ઞાન કહેવાય છે. જ્યારે સમ્યગ્દર્શન એ જિનેશ્વરભગવતે કહેલાં તત્ત્વોને વિષે અભિલાષા સ્વરૂપ જણાવ્યું છે. માત્ર ઈચ્છા તે રુચિ નહિ, અભિલાષા એ રુચિસ્વરૂપ છે. અભિલાષા એટલે ઉત્કટ કોટિની ઈચ્છા. એના વિના ચેન ન પડે, ન મળે તો આંખમાં આંસુ આવે. માથું પછાડવાનું મન થાય તેનું નામ અભિલાષા. આશ્રવ ટાળવાનો, બંધને રોકવાનો અને અકર્મા બનવાનો આવો અભિલાષ જાગે નહિ તો સમ્યગ્દર્શન ક્યાંથી આવે ? અવિરતિને ટાળવાનો અને વિરતિને પામવાનો અભિલાષ જાગે ત્યારે સમ્યગ્દર્શને આવે. અવિરતિને સાચવવાનું મન હોય તો સમ્યત્વ ન આવે. પુણ્યાનુબંધી પુણ્યથી મળેલું પણ સુખ જોઈતું નથી. આજે પુણ્યાનુબંધી પુણ્ય નડતું નથી – એમ સમજાવે છે. પણ પુણ્યાનુબંધી પુણ્યના ઉદય વખતે ચારિત્રમોહનીયનો ઉદય હોય છે. ચારિત્રમોહનીયના ઉદયમાં એ પુણ્ય ભોગવાય છે અને એ ચારિત્રમોહનીયનો ઉદય ચારિત્ર માટે નડતરરૂપ છે. એ ૨૭૦ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy