SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સખીઓએ મશ્કરીમાં પણ શ્રી નેમનાથ ભગવાનના રૂપમાં ખામી કાઢી તોપણ રાજીમતીએ કહ્યું કે - તમારી ચતુરાઈમાં દેવાળું નીકળ્યું છે. રાજીમતી સતી ભગવાનના રૂપની ખામીને પણ સાંખી ન શકે અને આપણે ભગવાનના વચનમાં ખામી કાઢે તોય મજેથી સાંભળી લઈએ-એ કેમ ચાલે ? આજે આપણે ધર્મ કરીએ છીએ ખરા, પણ ધર્મ આપણને ગમતો નથી. શ્રોતાનું મોટું જોઈને બોલે તે પ્રવચનના રાગી નથી. શાસ્ત્ર જોઈને બોલે તે પ્રવચનના રાગી. સ. શ્રોતાનું મોટું જોઈને દેશના આપવાની વાત આવે છે ને ? શ્રોતાનું મોટું નહિ, શ્રોતાનું હૈયું જોઈને દેશના આપવાની છે. પહેલાં તો દેશનામાં આરંભસમારંભ એ પાપ છે એવી વાત આવતી હતી. હવે થોડા દાયકામાં દેશનામાં ફેરફાર થવા માંડ્યો. પુણ્યથી મેળેલો પૈસો સાત ક્ષેત્રમાં યોજે તો ઊગી નીકળે એવું સમાવે. અમારા આચાર્યભગવત્તે અમને વ્યક્તિગત હિતશિક્ષા આપી હતી કે તમારી નિશ્રામાં દસ લાખ ખરચવા માટે જો કોઈ શ્રાવક આવે તો તેને કહી દેવું કે આટલા પૈસા છે તો નિવૃત્ત થઈ જા, ધંધો બંધ કરી નાખ, અનુષ્ઠાન નથી કરવાં. અનુષ્ઠાનમાં જે લાભ છે તેના કરતાં કંઈકગણો લાભ ધંધો - આરંભસમારંભ છોડવામાં છે. હોય તો આપવાનું છે, કમાઈને નહિ. આપવા માટે કમાવાનું નથી. કમાયેલું પણ છોડવાનું છે. માટે દાન છે. અર્થકામ ભૂંડા ન લાગે તેને ધન આપવાનો અધિકાર નથી. જે કમાવાનું બંધ ન કરી શકે તે પણ અર્થકામનો રાગ મારવા માટે દાન આપે તો જ તેનું દાન લેખે લાગે. * વર્તમાનમાં તમે જે સ્થાન અને જે વર્ગમાં રહ્યા છો તેમાં પ્રવચનનો રાગ હોય તો ય ભૂંસાઈ જાય એવો છે. જો પ્રવચનનો રાગ કેળવવો હશે તો આ વર્ગ છોડવો જ પડશે. * જેઓ પુણ્ય ભોગવવાનો ઉપદેશ આપે તે ઉન્માર્ગગામી છે. જેઓ પુણ્ય છોડવાનો ઉપદેશ આપે તેમની દેશના માર્ગગામી છે. ધર્મથી પુણ્ય બંધાશે એવી લાલચ આપીને ધર્મ કરાવે તે ઉન્માર્ગગામી છે, ઉન્માર્ગદશક છે. ધર્મ નિર્જરાલક્ષી જ હોવો જોઈએ. ધર્મથી પુણ્ય બંધાઈ જાય તેની ના નથી, લક્ષ્ય નિર્જરાનું જોઈએ. સ. આપ પુણ્યની આટલી ઝાટકણી કેમ કાઢો છો? તમારી નજર ત્યાંથી ખેસડવી છે માટે. સુખના નામે ધર્મ કરવાની ટેવ અનાદિથી છે. એ ટેવ કાઢવા માટે વારંવાર કહેવું પડે છે. તમે છોકરાને વારંવાર ભણવાનું શા માટે શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૨૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy