SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ વરસ સુધી ભણવાની પ્રવૃત્તિ ચાલુ રાખે એ ક્યારે બને ? દ્રવ્યક્રિયા કર્યા વિના ન જ ચાલે આવો પરિણામ હોવાથી જ જ્ઞાન ન મળવા છતાં અધ્યયન ચાલુ રાખ્યું. એના પરિણામે અંતે કેવળજ્ઞાન પામી ગયા. આજે અમારાં સાધુસાધ્વી પણ બોલતા અને માનતા થઈ ગયા છે કે – “જ્ઞાન ચઢતું ન હોય તો ન ભણે તો ચાલે, અસંખ્યાત યોગમાંથી ગમે તે આરાધવાથી મોક્ષ મળે છે. માણતુષમુનિએ તો ભાવની સાથે દ્રવ્યથી પણ જ્ઞાનની આરાધના કરી હતી. આવડે કે ન આવડે ભણ્યા વિના નથી રહેવું. જેઓ જ્ઞાનને ઉપાદેય ન માને તે જ્ઞાનાવરણીયકર્મ ગાઢ કોટિનું બાંધે. ક્રિયા કર્યા વિના મોક્ષ મળે. પણ ક્રિયા કર્યા વિના ચાલે-એવું માને તેને મોક્ષ કોઈ કાળે ન મળે. ભગવાને બતાવેલાં અનુષ્ઠાન પરસ્પરનાં પૂરક છે, છેદક નથી. આથી એક પણ અનુષ્ઠાનને ટાળવાની જરૂર જ નથી. ભાવના નામે દ્રવ્યને બાજુ પર મૂકનારા ક્યારે ય ભાવના સ્વામી બની ન શકે. આજે તમને પણ દ્રવ્યસમ્યકત્વ ન ગમે, ભાવસમ્યકત્વ ગમે ને ? આજે તો શ્રાવકો પણ બોલતા થઈ ગયા કે આપણું માથું ઠેકાણે હોય, આપણી શ્રદ્ધા મજબૂત હોય તો ગમે ત્યાં જવામાં વાંધો નહિ. આ રીતે દ્રવ્યસમ્યકત્વની ઉપેક્ષા કરનારા ભાવસમ્યકત્વ કઈ રીતે પામી શકે ? આજે આપણે ભાવસભ્યત્વ ન પામી શક્યા હોઈએ તો તે દ્રવ્યસમ્યત્વ અર્થા સમ્યકત્વના આચારની ઉપેક્ષા કરવાના કારણે. શ્રી સુલસાસતીએ એવો વિચાર ન કર્યો કે આપણી શ્રદ્ધા મજબૂત હોય તો ગમે ત્યાં જવાય. આથી જ ભગવાનના નામે પણ ન છેતરાયાં. દ્રવ્યને સાચવ્યું તો ભાવસમ્યકત્વ નિર્મળ પામ્યાં. આજે તો, ભાવ આવી ગયા પછી દ્રવ્ય અકિંચિત્કર છે - એવું માનનારા ઘણા છે. ભાવ આવ્યા પછી તો દ્રવ્યની ઉપેક્ષા કોઈ કાળે ન થાયતેવું માને તે ભાવસ્તવ પામી શકે. ભાસ્તવમાં જે ત્રણ દષ્ટાંત આપ્યાં છે તેમાં એટલો ફરક છે કે મરુદેવામાતાને દ્રવ્ય દીક્ષાની પ્રાપ્તિના કોઈ સંયોગો ન હતા. વજસ્વામી મહારાજાને જ્ઞાનાવરણીયના ક્ષયોપશમસહિત ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ હતો અને માષતુષમુનિને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ન હોવા છતાં બહુમાનગર્ભિત ભાવપૂર્વકની દીક્ષા હતી. * દ્રવ્યના કારણે જે સ્તવ થાય અર્થાત્ દ્રવ્યના વ્યય દ્વારા જે આરાધના કરાય તે દ્રવ્યસ્તવ. અથવા ભાવસ્તવના કારણભૂત એવો દ્રવ્યરૂપ (પ્રધાનદ્રવ્યરૂપ) જે સ્તવ તે દ્રવ્યસ્તવ. અહીં દ્રવ્ય એટલે ભાવનો અભાવ એવો અર્થ ન કરવો. અર્થાત્ અપ્રધાન દ્રવ્ય (જે ભાવનું કારણ ન બને તે)નો સમાવેશ દ્રવ્યસ્તવમાં થતો નથી. કારણ કે અહીં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવને મોક્ષના માર્ગરૂપે વર્ણવ્યા છે. અપ્રધાનદ્રવ્ય મોક્ષનો માર્ગ ન બની શકે. તેથી નક્કી છે કે ભાવ માટેનો જે દ્રવ્યસ્તવ હોય અથવા ભાવપૂર્વકનો હોય શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૨૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy