SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ બધી માયા શા માટે ? તમારી ભાષામાં “આટલું બધું જે કહો છો તે પ્રબળ મોહ સમજવો. નવું કપડું લેવા જાવ ત્યારે ડાઘવાળું કપડું જેમ ન ચાલે તેમ ધર્મમાં અસ–વૃત્તિરૂપ કાલિમા ન ચાલે. સ. અસ–વૃત્તિની કાલિમા એટલે શું? ધર્મ કરતી વખતે અનાદર હોય, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સેવે, ઉપેક્ષાપૂર્વક કરે, અવિધિથી કરે આ બધું અસ–વૃત્તિની કાલિમા કહેવાય. આ બધાના મૂળમાં પણ મોક્ષની ઈચ્છા નથી એમ કહેવું પડે. મોક્ષની ઈચ્છા નથી એ જ બધાં પાપનું મૂળ છે. નાના છોકરાને ખાવાની ઈચ્છા હોય તો મા જેમ કહે તેમ કરે અને જે ખાવાની ઈચ્છા ન હોય તો ફાવે તેમ વર્તે. મોક્ષની ઈચ્છા હોય તો ખોટું પગલું ન ભરે. થાક લાગે તો બેસી રહે પણ વાકું-ચૂટું પગલું ન મૂકે. જેને સિદ્ધિ સુધી પહોંચવું હોય એવાને ગમે તેમ ધર્મ કરીને નહિ ચાલે. આવેલા ગુણને પકડી રાખે તો ગુણ વધે. મૂડી સલામત રાખી હોય તો વ્યાજ વધે ને? જે ગુણ મળ્યો એ મળ્યો, એ જાય નહીં, એનું ધ્યાન સાધક રાખે. * શુદ્ધધર્મનો અભિલાષ પણ ન જાગે એટલા ભારેક આપણે નથી ને? અભિલાષ ન જાગ્યો હોય તો હવે જગાડવા માટે પુરુષાર્થ કરવો છે ને? “પુણ્ય સામે જેવું નથી, એણે જ બધો દાટ વાળ્યો છે. મળ્યું છે એની આસતિ છે અને ભોગવતી વખતે પણ આસતિ છે – ક્યાંથી કર્મ લઘુ થશે?’ આ રીતે અધ્યવસાય કેળવી લઈએ તો શુદ્ધધર્મનો અભિલાષ દુર્લભ નથી. * કર્મની લઘુતાના કારણે કદાચ શુદ્ધધર્મની ઈચ્છા થઈ પણ જાય પણ કુગુરુનો ભેટો થાય તો શુધધર્મની ઈચ્છા નાશ પામ્યા વિના નહીં રહે. તમે શુદ્ધધર્મ આરાધવા તૈયાર થયા હો, તે વખતે અત્યારે આ બધું શક્ય નથી, મધ્યમ માર્ગ આરાધીએ તો કલ્યાણ થાય એવું છે.” આ બધું કહીને કુગુરુ તમારી શુદ્ધ ધર્મની ઈચ્છાનો નાશ કર્યા વિના નહીં રહે માટે સુગુરુની જરૂર પડે. શુદ્ધધર્મના જાણકાર હોય, શુદ્ધધર્મના કર્તા હોય એમને શુદ્ધધર્મના ઉપદેશક હોય એમને સુગુરુ કહેવાય. સદ્ગરનો ભેટો થયા પછી સુગુરુ શુદ્ધ ધર્મ બતાવે તો આકરો લાગે. તેથી સદ્ગુરુ મળ્યા પછી પણ કુમાર્ગથી દૂર થવું દુર્લભ છે. * માર્ગ ગમે તેટલો સારો મળ્યો હોય છતાં તેનો જે યોગ્ય રીતે ઉપયોગ કરતાં નહીં આવડે તો દુર્લભબોધિ બન્યા વિના નહિ રહીએ. દવા ગમે તેટલી સારી, ખાવાનું २०८ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy