SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છા હોવા છતાં મોક્ષની ચિંતા આપણે નથી કરતા ને? તેમ અહીં પણ સંસારસુખની ઈચ્છા હોવા છતાં તેની ચિંતા નથી કરવી. મોક્ષની ઈચ્છા જાગે તો સંસારની ઈચ્છા કપાયા વગર ન રહે. લોઢાથી જેમ લોઢું કપાય તેમ પરિણામથી પરિણામ કપાય. * ધર્મરૂપી કલ્પવૃક્ષના મોક્ષરૂપી ફળને દેવલોકાદિની ઈચ્છા રૂપ અશુભ પરિણામાત્મક કુઠારથી છેદવું તેને નિયાણું કહેવાય છે. - સાધુપણામાં ગુરુનું ન માનવું તે અનર્થદંડ છે, કારણ કે તેનાથી માત્ર મનને જ સુખ કે દુ:ખાભાવ મળે છે. * અનર્થદંડની પ્રવૃત્તિ સૌથી ભયંકર છે અને દરેક વ્રતોનો ઘાત કરનારી છે. પ્રમાદનું આચરણ એ મોટો અનર્થદંડ છે. રાત્રે પણ ઊંઘવાનું મન ધર્માત્માને ન હોય તો તે દિવસે ઊંઘવા રાજી હોય ખરો? આજે નિયમ કરવો છે કે દિવસે ઊંઘવું નથી? આ ભવની પ્રત્યેક ક્ષણો કીમતી છે. તેને પ્રમાદ ખાતર વેડફી નાંખવી નથી. * સુખ માંગવાથી સુખ મળે નહિ. આજે આપણે સંસારનું સુખ માંગતા નથી એ બરાબર, પણ આપણને સંસારનું સુખ જોઈતું નથી એવું નથી. સુખ માંગવું એ જ નિયાણું છે એવું નથી. સંસારના સુખની ઈચ્છા એનું નામ નિયાણું. * આ સંસારમાં પાંચ વિષયનાં સુખો હિંસા વિના ભોગવાય એમ નથી. ઈષ્ટસંયોગની ચિંતા થયા પછી એને મેળવવા માટે ગમે તેવી હિંસા કરવાની તૈયારી રૌદ્રધ્યાનમાં પહોંચાડે છે. રૌદ્રધ્યાનથી બચવા આર્તધ્યાન ટાળવું છે. ઈષ્ટનો સંયોગ પ્રાર્થીએ નહિ અને અનિષ્ટનો વિયોગ ઈચ્છીએ નહિ તો રૌદ્રધ્યાનથી બચી શકાય. પુષ્યમાં હશે તેટલું મળશે, જ્ઞાનીએ દીઠું હશે તેવું થશે આટલી શ્રદ્ધા હોય તો આર્તરૌદ્રધ્યાન સુધી પહોંચવું ન પડે-એટલા માટે જ શ્રાવકને સમ્યકત્વમૂળ બાર વ્રત ઉચ્ચરાવાય છે. જેની પાસે સમ્યકત્વ હોય તે આવા પરિણામોથી કુદરતી રીતે બચી જાય. * નિષ્કામભાવે, આશંસારહિતપણે, આજ્ઞાનુસારી રીતે જ્ઞાનની સાધના અપ્રમત્તપણે કરવા દ્વારા ચારિત્ર પાળીએ તો નિર્જરાનો ધોધ વરસે અને પુણ્યબંધ મામૂલી થાય. ૪ આજે ધર્મ આપણે કરીએ છીએ ખરા પણ ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે ખરી? અવિધિપૂર્વકનો ધર્મ ફળ આપે કે વિધિપૂર્વકનો ધર્મ ફળ આપે ? ધર્મમાં અવિધિ ગમે ને ? ૧૫૬ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy