SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સ. પાપની ખટક જ નથી. એટલે જ ધર્મ ખટક્યા કરે છે. જેને કાંટો ખટક્તો ન હોય તેને સોય મારે તો સોય જ ખટકે ને ? જેને કાંટો ખટકતો હોય તેને સોય ન ખટકે. તેમ પાપ ખટકે તેને ધર્મ ન ખટકે. પાપ ખટકતું નથી માટે સહેલું લાગે છે અને ધર્મ આકરો લાગે છે. * તપ દુઃખ વેઠવાનો અભ્યાસ પાડવા માટે અને આહારની લાલસા મારવા માટે કરવાનો છે. ગમે તેવા દુઃખમાં પણ સમાધિ રહે તે માટે તપથી દુઃખ વેઠવાનો અભ્યાસ પાડવો છે. એકાસણું કરવું એટલે બે વખતનું એક વખતમાં ખાવું તે નહિ. બે વખતનું ખાવું નથી માટે એકાસણું કરવાનું છે. આપણે તો એકાસણામાં ત્રણે ટાઈમનું પતાવી દઈએ ને ? સ. બધું એકી સાથે ન છોડાય, થોડું થોડું છોડીએ. માંદગીમાં એકી સાથે ખવાય નહિ પણ ભાવ તો પૂરતું ખાવાનો હોય ને ? જ્યારે અહીં થોડું કરવાના ભાવથી જ થોડું થોડું કરીએ છીએ કે વધુ કરવાનો ભાવ છે? * દ્રવ્યના સંકોચ માટે તપ કરનારા પણ અનર્થદંડથી બચી શકતા નથી. આથી ત્રીજું ગુણવ્રત અનર્થદંડવિરમણ આપ્યું. તપસ્વી ટી.વી. જુએ ને ? * શરીરના સુખ કરતાં પણ મનનું સુખ આજે વધારે નડે છે. શરીર માંદું થયું હોય તો બે દિવસે ચાર દિવસે સાજું થઈ જાય છે. જ્યારે માંદું મન વરસો સુધી, ભવો સુધી સારું થતું નથી. શરીરનું સુખ છોડવું સહેલું છે અને શરીરનું કષ્ટ વેઠવું પણ સહેલું છે. પણ મનનું સુખ પણ છોડી નથી શકાતું અને મનનું દુઃખ વેઠી નથી શકાતું. અમારા મુમુક્ષુઓ પણ શરીરનાં કષ્ટ વેઠવાનો અભ્યાસ પાડે છે પણ માનસિક કષ્ટ વેઠવાનો અભ્યાસ નથી પાડતા. લોચ કરાવે, વિહાર કરે, પણ ગુર્નાદિક ખોટી ભૂલ બતાવે તો તે વખતે ગુસ્સો આવ્યા વગર ન રહે. માન-સન્માન મળે એ માનસિક સુખ છે. શરીરનું સુખ છોડ્યા પછી પણ આ મનનું સુખ છોડી શકાતું નથી. કોઈ તિરસ્કાર કરે, અપમાન કરે, કદર ન કરે એ એક માનસિક દુ:ખ જ છે ને ? આ દુઃખ ભોગવવાનો અભ્યાસ પાડીએ ખરા? આજે એકાસણું ભાંગે તો દુઃખ થાય કે એકાસણામાં ખાવાની ઈચ્છા જાગે તો દુઃખ થાય ? આપણને પ્રવૃત્તિ (પાપની) નડે છે પણ પાપની ઈચ્છા નડતી નથી ને? શરીરની માવજત ઘણી કરી પણ મનની માવજત લગભગ કરતા જ નથી. ઈચ્છા થયા પછી પૂરી કરવા માટે મહેનત કરીએ અને કષાય આવ્યા પછી મોટું ખોલવા માટે મહેનત કરીએ તો મનની માવજત કઈ રીતે થાય ? મનની માવજત માટે જ ૧૫૪. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy