SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સ. તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું ને ? આપણી પાસે શ્રુતજ્ઞાન તો છે ને ? એ શ્રુતજ્ઞાન તો જાતિસ્મરણજ્ઞાનને પણ ટક્કર મારે એવું છે. આપણને તો જાતિસ્મરણશાન ન થાય એ જ સારું છે, નહિ તો આપણે કેટલાયનાં ઘર ભાંગી નાંખત. બધા જાતિસ્મરણજ્ઞાનવાળાને દીક્ષા લેવાનું મન થાય એવો નિયમ નથી. એ તો મૃગાપુત્ર જેવા કોઈક જ હોય. બાકી તો પૂર્વભવનું ધન અને પૂર્વભવનાં પ્રિય પાત્રોને શોધવા નીકળી પડે. સ. અમને શ્રુતજ્ઞાન મળ્યા પછી પણ જાતિસ્મરણશાન કેમ જોઈએ છે? જાતિસ્મરણજ્ઞાન ભૂતકાળને બતાવે છે, જ્યારે શ્રુતજ્ઞાન ભવિષ્યને બતાવે છે. જાતિસ્મરણથી ભૂતકાળનો દેવલોક દેખાય તે જોવો ગમે, શ્રુતજ્ઞાનથી ભવિષ્યની નરક દેખાય તો ક્યાંથી ગમે ? શ્રુતજ્ઞાન તો ભવિષ્યનો સંસાર કેવી રીતે વધશે તે બતાવે અને તેથી ભવિષ્યના પાપથી દૂર રાખે. પાપ યાદ કરાવે, ધર્મ યાદ કરાવે, માર્ગે ચઢાવે, એવું આ શ્રુતજ્ઞાન છે. આ શ્રુતજ્ઞાનને કામે ન લગાડે તેને જાતિસ્મરણ જ્ઞાન કામ ન લાગે. અવધિજ્ઞાન પણ તેને કામ લાગે જે શ્રુતજ્ઞાનને કામે લગાડે. દેવો પાસે અવધિજ્ઞાન હોવાથી પોતાનો પરલોક દેખાતો હોવા છતાં ભોગમાં એટલા આસક્ત હોય કે જેથી તે જોવા રાજી નથી હોતા. શ્રુતજ્ઞાનનું અર્થીપણું જાગે તેને કુદરતી રીતે આત્માનું અર્થીપણું કેળવાય. જે અનુભવથી જણાય છે તેને માનવા શ્રુતજ્ઞાનની જરૂર નથી. જે અનુભવાતું નથી તેને માનવા માટે જ શ્રુતજ્ઞાનની જરૂર પડે છે. સંસાર દાવાનળસ્વરૂપ લાગતો જ હોય તો મૃતની જરૂર જ ક્યાં રહે ? એ દાવાનળ જેવો લાગતો નથી માટે જ શ્રુતજ્ઞાનની જરૂર છે. * રાગાદિમૂલક ધર્મ સંસારને વધારનારો છે જ્યારે રાગને કાઢવા માટે ધર્મ કરવામાં આવે તો સંસાર ઘટે. * ગુરુ પાસે રહેવું તે ગુરુકુળવાસ નથી, ગુરુનું માનવું તે ગુરુકુળવાસ છે. અનુકૂળતા ભોગવવા માટે ગુરુકુળવાસમાં નથી રહેવાનું, પ્રતિકૂળતા ભોગવવા માટે જ ગુરુકુળવાસમાં રહેવાનું છે. * ભગવાનના ઉપસર્ગનું વર્ણન કરતી વખતે કે સાંભળતી વખતે આંખમાં આંસુ લાવવાની જરૂર નથી. આપણે પણ આવાં દુઃખ વેઠવા તૈયાર થવાનું છે – એવું વિચારવાની જરૂર છે. ભગવાને દુ:ખ વેઠ્ય એટલું જ નથી જોવું, એમનું દુઃખ જઈ રહ્યું છે - એનો આનંદ પણ હોવો જોઈએ. ભગવાને જેમ દુ:ખ વેઠીને દુઃખ કાઢ્યું તેમ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૧૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy