SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત-ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ, કે જે આજ સુધી ભૂતકાળમાં અનંતા થઈ ગયા, વર્તમાનમાં વીશ અરિહંતો વિચરી રહ્યા છે, ભાવિકાળમાં અનંતા અરિહંતો થશે; “નમો અરિહંતાણં' પદથી આપણે તે બધા પરમાત્માઓને નમસ્કાર કરીએ છીએ. એ બધા મહાપુરુષોએ આ સંસારમાં મુક્તિની સાધનામાં સીધી ઉપયોગી થાય એવી ચીજની જ દુર્લભતા વર્ણવી. દુનિયાની સુખસાહ્યબીની અનંતજ્ઞાનીઓને મન કોઈ કિંમત નહિ. અજ્ઞાની જીવો માટે એકાંતે નુકસાનકારક, મુક્તિની સાધનામાં સીધાં ઉપયોગી સાધનો : (૧) મનુષ્યજન્મ (૨) સદુગર મુખે જિનવાણી-શ્રવણ (૩) અવિહડ શ્રદ્ધા (૪) ચારિત્રમાર્ગમાં પુરુષાર્થ. ભગવાને પહેલો સંદેશ આપ્યો : ૧) સુખ છોડવાજેવું છે. ૨) દુઃખ વેઠવા જેવું છે. ૩) દુઃખ ઉપર દ્વેષ થાય એ મૂર્ખ જીવ. ૪) સુખ ઉપર રાગ થાય તે મહામૂર્ખ જીવ. ૫) સુખના રાગ ઉપર દ્વેષ અને દુઃખના દ્વેષ ઉપર - દ્વેષ કેળવવો, એ ધર્મનો પાયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy