SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ * માથા ઉપર ચિંતાની સગડી અને હૈયામાં અશાન્તિની આગ - એવા કાળમાં પણ તમને જો સુખ લાગે તો તેવાઓને (મોહમૂઢોને) ભગવાનનો માર્ગ ઓળખાવવો મુશ્કેલ છે. * પુણ્યનો રસ છે, પાપનો રસ નથી, ધર્મ ગમે છે અને મોક્ષે " જવું છેઃ આ ચાર વિચારવાળો ગમે ત્યાં મરે તોપણ એના માટે સદ્ગતિ નક્કી. * વિમાન આકાશમાં ઉડાડે પણ ખામીવાળું હોય તો મારી પાડે તેમ ગુરુ તારનારા ખરા પણ દર્શનાદિની ખામીવાળા હોય તો ડુબાડે પણ ખરા ! માટે સ્વ-પરતારક ગુરુની ઓળખ જરૂરી. * વીતરાગ-દેવમાં દેવબુદ્ધિ, સદ્ગમાં ગુરુબુદ્ધિ અને કેવલી ભાષિત ધર્મમાં ધર્મબુદ્ધિ સાથે અદેવમાં-દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિનો ત્યાગ એ સમત્વ છે. ધન અને ભોગ ઉપર ખરેખર તિરસ્કાર જાગે તો જ સંસારથી વહેલા મુક્ત થઈ શકાય. સાસરે ગયેલી બાઈ પિયરિયા મળે કે એનું દુઃખ રોવા બેસે, તેમ પાપ કરનારને હિતૈષી મળે કે પાપ રોયા વગર ચેન ન પડે, કેમ કે સમકિતીને પાપનો ડંખ-ભય ભારે હોય છે, તથા સત્તરે પાપ મહાબોજારૂપ લાગે છે. જિનોક્ત ધર્મ જ કરવાયોગ્ય છે અને અધર્મ કરવાયોગ્ય નથી જ - એવો નિર્ણય એ પ્રણિધાન. આવું પ્રણિધાન જેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy