SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કે પ્રસંગ સારી રીતે પતી ગયો માટે? કર્મનિર્ભર કરવા માટે નીકળેલાને કર્મ જાય તેમાં આનંદ હોય ને? તેમ અહીં પણ શુભ પુલનું વેદન થવા છતાં તેના કારણે આનંદ નથી પરંતુ કર્મ-ભોગાવલી પૂરું થાય છે અને ચારિત્ર નજીક આવે છે એ ભાવના કારણે રતિ થાય છે. છોકરાઓ જમે અને તમે ભૂખ્યા રહો તો ય તમને અરતિ ન થાય ને? એ રતિ શેની છે? ભાવના કારણે જ ને? - સ. ત્યાં શુભભાવનું વદન થાય છે, અહીં નથી થતું. દીકરી પ્રત્યે મમત્વ છે જ્યારે આત્મસ્વરૂપ પ્રત્યે મમત્વ નથી. સંસારનું મમત્વ એક ભવપૂરતું છે. આજે નહિ તો કાલે જવાનું જ છે. તેત્રીસ સાગરોપમનાં સુખો પણ પૂરાં થવાનાં છે. આ બધું જ અનુભવામ્ય હોવા છતાં તેની સામે નજર નથી કરતા અને એની ઉપેક્ષા કરીએ છીએ. આ ગુણની ઉપેક્ષા છે. સુખની ઉપેક્ષા કરવી છે. ગુણની ઉપેક્ષા નથી કરવી. પુણ્યપ્રકૃતિ શુભ છે એની ના નહિ, એ અઘાતીની પ્રકૃતિ છે એની ૨ ના નહિ પરંતુ ઘાતી પ્રકૃતિ જેમ ગુણનો ઘાત કરે છે એમ અધાતી પ્રકૃતિ પણ આપણા ગુણને ઢાંકવાનું કામ કરે છે. અઘાતી નડતી નથી એવું નથી. શાતા વેદનીય અઘાતીની છે, પણ એ શાતા જોઈએ છે માટે મિથ્યાત્વ બંધાય છે. આ રીતે તો અઘાતી પ્રકૃતિ ઘાતીના બાપ જેવી છે. શુભ ભાવનું વેદના અને શુભ પુલનું વેદનઃ એ બેમાં ઘણો ફરક છે. આજે વ્યાખ્યાનમાં આવનારને શુભ ભાવનું વદન હોય કે શુભ પુદ્ગલનું? પ્રભાવના કે જમવાનું ચાલું થઈ જાય એટલે ઊભા થઈ જાય તો માનવું પડે ને કે શુભ પુલનું જ વેદન છે. એક સંગીતના જલસામાં એક એક કરતાં બધા ઊઠી ગયા. માત્ર એક માણસ બેઠો હતો. સંગીત પૂરું થયા પછી સંગીતકારે એની પીઠ થાબડી કે આટલા બધામાં એક તમે જ સંગીતના જાણકાર છો. ત્યારે પેલાએ કહ્યું કે - ના ભાઈ, આ ૪૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001166
Book TitleVairagyasambhav Adhikar
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages80
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy